SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દિશામાં નથી. પણ ઉત્તર દિશાથી પશ્ચિમ દિશા તરફ લગભગ વીશ ડગ્રી સરકી ગયો છે, જેથી ધ્રુવને ઉત્તર દિશા માનીને દિસાધન કરવામાં આવે તો દિશાનું જ્ઞાન વાસ્તવિક થતું નથી અને પ્રાસાદ દિક્યૂઢ બની જાય છે. દિવસે દિફસાધન કરવું હોય તે શંકુની છાયા દ્વારા કરવાનું લખ્યું છે. એનાથી પણ વાસ્તવિક દિફસાધન થતું નથી. કેમકે સૂર્ય હમેશાં એક જ બિન્દુ ઉપરથી ઉદય પામતો નથી, તેથી શંકુની છાયામાં પણ વિષમતા આવે છે. આ કારણે તેને પણ સંસ્કારની જરૂરત રહે છે, તેમજ શ્રવણ, કૃતિકા, ચિત્રા અને સ્વાતિ નક્ષેત્ર પણ બરાબર પૂર્વ દિશામાં ઊગતા નથી, તેથી દિશાનું જ્ઞાન બરાબર થતું નથી. આ દિફસાધન બાબતમાં શિલ્પીઓએ જરૂર ધ્યાન આપવા જેવું છે. તેમાં વિશેષ અનુકૂલતા એ છે કે દિફસાધન યંત્ર દ્વારા જ કરવું જોઈએ. શાસ્ત્રકારે જે લખેલ છે તે પ્રમાણે બરાબર તે સમયમાં હશે, પણ સેંકડો વર્ષ વ્યતીત થતાં નક્ષત્ર અને તારાઓની પૂર્વની સ્થિતિના ખાસ બિંદુથી પરિવર્તન પામી ગયા લાગે છે. પ્રથમ ખાતમુહૂર્ત કરવામાં શેષનાગચક્ર જેવામાં આવે છે. તેમાં પણ શાસ્ત્રોમાં ઘણા મતભેદ જણાય છે. કોઈ ઈશાન, અગ્નિ આદિ દિશાના સૃષ્ટિક્રમે ખાત કરવાનું માને છે, તે કઈ ઈશાન, વાયવ્ય આદિ દિશાના વિક્રમે ખાત કરવાનું માને છે. શેષનાગને વત્સચક માને છે. જ્યોતિષશાસ્ત્રમાં અને વાસ્તુશાસ્ત્રમાં પણ મતભેદ પડે છે. આવા મતમતાંતરના ખુલાસાઓ “રાજવલ્લભ ગ્રંથને મારા અનુવાદમાં વિગતવાર જણાવેલા છે. બીજા અધ્યાયમાં જગતીના સ્વરૂપનું વર્ણન છે. તેમજ દેના વાહનનું સ્થાન અને તેને ઉદય, જિનપ્રાસાદના મંડપનો ક્રમ, દેવની સામે અન્ય દેવ સ્થાપન કરવા બાબત, દિશાના દેવ, શિવજ્ઞાનોદકનો વિચાર, દેવની પ્રદક્ષિણા, પરનાળ અને દેવોને આયતનનું વર્ણન છે. દેવાલય નિર્માણ કરવાની જે ભૂમિ મર્યાદિત રાખવામાં આવે છે તેને જગતી” કહે છે. પણ કેટલાક શિકપીઓ જગતને અર્થ એટલો કરે છે. તેમણે જાણવું જોઈએ કે તે એટલે જગતીની ઊંચાઈને સમજો, અર્થાત્ મર્યાદિત ભૂમિ જે ઊંચી કરવામાં આવે છે, તેને એટલે સમજવો. જગતીના લક્ષણ સંબંધમાં ‘અપરાજિતપૃચ્છા ' સૂત્ર ૧૧૫ થી ૧૨૦ સુધીમાં લગભગ પોણા બસે લોક પ્રમાણનું સવિસ્તર વર્ણન કરેલું છે. - શિવસ્નાનોદક બાબતમાં શાસ્ત્રકાર જણાવે છે કે-- "शिवस्नानोदक गूढमार्गे चण्डमुखे क्षिपेत् । दृष्टं न लङ्घयेत् तत्र हन्ति पुण्यं पुराकृतम् ॥" શિવરનાનેદક ગુપ્ત ભાગે જાય તેમ કરવું જોઈએ, અથવા ચંડગણના મુખમાં જઈ વમન કરતું કરવું જોઈએ તો તેને દોષ લાગતો નથી પણ તે જોવામાં આવે અને તેનું ઉલ્લંધન થાય તો પૂર્વકૃત પુનો નાશ થાય છે. તેથી તેને પરિહાર કરવા માટે શિવગણ ચંડનાથની મૂર્તિ જલધારી (પીઠિકા) પાસે એવી રીતે સ્થાપન કરવી જોઈએ કે જેથી શિવસ્તાદક ચંડનાથના મુખમાં જઈને બહાર આવે, તે શિવજ્ઞાનેકે ઉચ્છિષ્ટ થઈ જવાથી તેનું દર્શન થઈ જાય કે ઉલંધન થઈ જાય તે દેવ માનવામાં આવતા નથી.
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy