________________
સુધીની ઊંચાઈને એકવીશ ભાગ કરી, તેમાંના નવથી તેર ભાગની ઊંચાઈમાં શકનાસ રાખો. ત્યાં તેર ભાગથી ઉપર શુકનાસ રાખવો નહિ, પણ નીચે રાખવો એવો અર્થ ઘટે છે. તેને લશની સાથે સંબંધ મેળવે તે પ્રામાણિક નથી. . “દીપાવ”ના ૧૦ મા અધિકારના લેક ૩ ના ઉત્તરાર્ધથી બ્લેક પ સુધીના અદી લેક ‘અપરાજિતા ' સૂત્ર ૧૮૫ માંની રીતસરની નકલ છે અને તે શુનાસનું સ્થાન નિર્ણય કરવા સંબંધના છે. તેને અનુવાદકે પાંચમા શ્લોકને ઘૂસ્ટને આમલસાર સાથે જોડવાની ભૂલ કરી છે. આશા છે કે બીજી આવૃત્તિમાં સુધારો કરશે.
વિતાન:
- વિતાન એટલે ચંદરવો. પ્રાસાદની છતને કવિતાન' એવા નામથી ઓળખવામાં આવે છે. તેના મુખ્ય ત્રણ ભેદ છે.
૧. છતમાં જે લટકતી આકૃતિઓ હોય તો તેને “ક્ષિતવિતાન” કહે છે. ૨. છત ઊંચી કરેલી હોય અર્થત ઘૂમટ કરેલ હોય તે તેને “કપ્તિ વિતાન' કહે છે. ૩. જે છત સમતલ હેય, તો તેને “સમતલ વિતાન” કહે છે. આ છત સાદી હોય અથવા અનેક
પ્રકારનાં ચિથી ચીતરેલી અથવા કેરેલી હોય છે.
દીપાવ” ના પૃષ્ઠ નં. ૧૩૭ માં શ્લેક ર૨ ના અનુવાદમાં ક્ષિતક્ષિપ્ત, સમતલ અને ઉદિત એમ ત્રણ પ્રકારનાં વિતાન લખ્યાં છે. મારી સમજ પ્રમાણે “રિતાનિ ત્રિધા જમાન” આ પદમાં ઉદિતાનિ શબ્દ વદ્ ધાતુનું ભૂતકૃદંત છે, તેથી તેને અર્થ “કહેલા છે” એ ક્રિયાવાચક કરવો જોઈએ. સંવરણ:
સંવરણાને શિપીવગ “ સાંભરણ” કહે છે. તે મંડપની છતની ઉપર બનાવવામાં આવે છે અને અનેક કળશવાળા હોય છે. તેની રચના શિલ્પીવર્ગ પોતાની બુદ્ધિ અનુસાર બતાવે છે. પણ તે શાસ્ત્રીય હેય એવો નિયમ રહેલો જણાતો નથી.
આ ગ્રંથના અને “જ્ઞાનપ્રકાશ દીપાવ” ના ઘણાખરા નકશાઓ એકસરખા જ છે. તેમાં સંવરણના નકશાઓમાં ઘંટાને અર્થ સમજફેર થઈ જવાથી ઘંટાકૃતિ (ચંદ્રિકા) કરીને ઉપર આમલસારિકા બતાવવામાં આવી છે તેથી તે નકશાઓ અશુદ્ધ થઈ જવા પામ્યા છે. દીપાર્ણવના અનુવાદક ઘંટાને અર્થ ઘંટાકૃતિ એવો કરે છે. રૂબરૂ પૂછવાથી પણ તેઓ કહે છે કે સાંભરણ ઉપર આમલસાર મૂકવામાં આવતા નથી, ઘંટાકૃતિ જ મૂક્વામાં આવે છે. તેમજ તેઓ “દીપાવ’ ના પૃષ્ઠ નં૦ ૧૬૮ ની નીચેની ટિપ્પણીમાં સ્વયં લખે છે કે વર્તમાન કાળમાં જે સંવરણ ચડાવવાની પ્રથા શિપીએમાં છે તે બસોએક વર્ષથી ચાલી આવતી હોય તેમ જણાય છે. તેમાં શાસ્ત્રીય રીત નથી. આ વિધાનમાં સહેજ ફેર છે, તે સાવ અશાસ્ત્રીય છે તેમ કહેવું બરાબર નથી - “સંવરણના મથાળે ભયમાં મહાઘટિકા જ કરવી જોઈએ, અહીં પાડોમાં કે બીજા ગ્રંથોમાં ઘટિકાને બદલે આમલસારો મૂકવાનું કહ્યું નથી. તેરમી-ચૌદમી સદીની કઈ કઈ જૂની સંવરણ ઉપર આમલસા મૂકે જોવામાં આવે છે, પરંતુ તે બરાબર નથી, એમ હું માનું છું. કારણ કે એ સંબંધે પાઠ નથી. માટે ત્યાં મહાઘટિકા જ મૂકવી જોઈએ.
શિખરાધ્યાય અને મંડપલક્ષણાધિકારમાં શિખરને શુકનાન્સ મેળવવા કહે છે કે- સુનાવણમાં