SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તેમ જણાતું નથી. એક શિખર ઉપર પાંચ ધ્વજાદંડ કરવાથી શિખરને ઘણી હાનિ પહોંચવાને ભય રહે છે. તેથી આ બ્લેક ક્ષેપક હોય તેમ જણાય છે. ગૂજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આદિનાં કેટલાંક ગામમાં શિખરની આગળના ઘુમટ ઉપર પણ ધ્વજાદંડ ચડાવેલા જોવામાં આવે છે તે અશાસ્ત્રીય છે. એક તો ઘૂમટોની ઉપર આમલસારા હોય છે, તેમાં ધ્વજાદંડને રાખવાનું શાસ્ત્રમાં પ્રમાણ નથી, અને દેવનું માહાસ્ય પણ ઓછું થાય છે, કેમકે પ્રતિષ્ઠિત દેવને માથે ધ્વજા અને ધૂમટમાં દર્શન કરનારાઓના માથે પણ ધ્વજા હોય તે અગ્ય ગણાય. કેટલાક શિલ્પીઓ ધ્વજદંડને શાસ્ત્રીય માનથી વધારે રાખે છે. તેઓ કહે છે કે, સાલતો ભાગ વધારે રાખવો જોઈએ એ તેમનું કહેવું વ્યાજબી નથી. કલાબામાં દંડને સ્થાપન કરવા માટે અધિક ઊડે ખાડે ખોદવાની જરૂર રહેતી નથી. “દીપાવ” ના પૃષ્ઠ નં. ૧૨૯ ની ટિપ્પણમાં “ક્ષીરાવ' ના એક શ્લોકનું પ્રમાણ આપીને લખ્યું છે કે– સમપર્વ અને એક કાંકવાળો ધ્વજદંડ શક્તિદેવીના (અને મહાદેવન) મંદિરોમાં કરાવો. જે કે એક કે બેકી બંને પ્રકારના ધ્વજદંડે ભવનને વિષે તો શુભ જ છે.” આ બાબત જણાવવાનું કે આ પ્રમાણુ “ક્ષીરાણુંવરનું હોય તેમ જણાતું નથી. અનુવાદકે મનઃકપિત ક્ષેપક રીતે મૂકેલું જણાય છે. તેમાં પણ “એક બેકી બંને પ્રકારના વજદંડ ભવનને વિષે તો શુભ છે” એવું મન:કલ્પિત લખાણ આશ્ચર્ય ઉપજાવે તેવું છે. “ક્ષીરાવની બે, ત્રણ પ્રતિ મારા જેવામાં આવી તેમાં આ ગ્લૅક નથી. પાંચમા અધ્યાયમાં પ્રાસાદમાં મુખ્ય ઘેરાજ્ય આદિ પચીસ પ્રાસાદેનું વર્ણન નકશા સાથે સવિસ્તર આપવામાં આવ્યું છે. %ા અધ્યાયમાં કેસરી આદિ પચીસ પ્રાસાદનાં નામ અને તેની તલવિભક્તિનું અને નવ મહામેરુ પ્રાસાદનું વર્ણન છે. કેસરી આદિ પચીસ પ્રાસાદ બનાવવા સંબંધી વિશેષ વિવેચન ગ્રંથકારે કરેલું ન હોવાથી આ ગ્રંથના અંતમાં પરિશિષ્ટ નં. ૧ માં “અપરાજિતપુછા” સૂત્ર ૧૫૯ નું સવિસ્તર વર્ણન નકશાઓ સાથે આપવામાં આવેલું છે. ' સાતમા અધ્યાયમાં પ્રાસાદના મંડપ સંબંધી સવિસ્તર વર્ણન નકશાઓ સાથે આપવામાં આવેલ છે. પેજ નં. ૧૧૬ માં ઘૂમટના આમલસારની ઊંચાઈ માટે બ્લેક ઉમે છે. તેના ઉત્તરાર્ધમાં “શુનાષ મા ઘટા ના શ્રેદશ ન જાથા ' નો અર્થ “ઘૂમટના કલશાની ઊંચાઈ શુકનસની બરાબર રાખે તથા ઓછી રાખે તે શ્રેષ્ઠ છે પણ અધિક રાખવી નહિ.” એવો કરેલ છે. કેમકે કેટલાક પ્રાચીન દેવાલયોમાં ઘૂમટનો કલશ કનાસથી નીચે જોવામાં આવે છે. તેમજ કેટલાક શિપીઓની માન્યતા પણ એવી છે. “ અપરાજિતપૃચ્છા' જેવા માનનીય પ્રાચીન ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે- શુક્રવારના ઇડ્યા =ા જ તકિયા ” ઘૂમટના આમલસારની ઊંચાઈ શકનારાની બરાબર રાખવી. ઊંચી નીચી રાખવી નહિ, જેથી “ જૂના રા રાધા ”નો અર્થ પણ ન્યૂન શ્રેષ્ઠ નથી તેમ અધિક પણ શ્રેષ્ઠ નથી એવો થઈ શકે છે. આ બાબત મુદિત “દીપાવના પૃષ્ઠ નં. ૧૩૩ ની ટિપ્પણમાં અનુવાદક અપરાજિતપૃચ્છા” સત્ર ૧૮૫ નો ગ્લૅક ૧૩ “તpધે કર્તવ્યમવર્ષ મૈત્ર ટૂર્ના ” નું પ્રમાણ આપી ઘૂમટને આમલસાર શુનાસથી નીચો હોય તો દેવ નથી, એવું સમર્થન કરે છે. પણ અનુવાદકે વિચાર કર્યો હેત તે જણાઈ આવત કે આ શ્લોક શુકનાસને રાખવાના સ્થાનને છે. જાથી લઈ શિખરના સ્કંધ
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy