SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ચરકરણ સહુ કરણ માસ કહ્યાં ચર સત્તઈ થિર ચાર ઉભય કરણ ચમહ નિશિ વહઈ તેહને સુણે વિચાર ૨૬ અવ બાલવ કૈલવ કરણ તૈતલ ગરાં વાણિજ વિષ્ટિ કહી જે સત્તને એ ચર સદા ગિણીજ ૨૭ કરણ શું છે? તે શરૂઆતમાં કહેવાઈ ગયું છે. અહીં કરણ લાવવાની સામાન્ય રીતિ કહી છે. એક તિથિમાં બે કરણ રહે, માટે શુકલ પક્ષની એકમથી જેટલામી તિથિ હોય તેને બમણી કરી એક બાદ કરી સાતને ભાગ આપવાથી શેષ રહે તેટલામું શુકલ પક્ષમાં કરણ થાય. વદમાં એક એ છે ક્ય વગર સાતે ભાગ આપવાથી શેષ રહે તે કરણ થાય છે. વદ ચૌદશના ઉત્તરાર્ધમાં શકુનિ, અમાસના પૂર્વાર્ધમાં ચતુષ્પદ ઉત્તરાર્ધમાં નાગ અને શુકલપ્રતિપક્ના પૂર્વાર્ધમાં કિસ્તુત નામનું કારણ રહે છે. આ ચાર કરણ સ્થિર છે. જ્યારે બવ, બાલવ, કૌલવ, તૈતિલ, ગર, વણિજ અને વિષ્ટિ એ ચરકરણ છે. ચાર સ્થિર અને સાત ચર મળી કુલ અગીઆર કારણ હોય છે. કરણ પરત્વે કાર્ય કષ્ણ ચતુર્દશી અરધથી શનિ ચતુષ્પદ નાગ પડવે દિન કિસ્તુ ન રહે એ કરણ થિર માન ૨૮ ગેહારંભે ભવ કરણ બ્રહ્મ ક્રિયા કરે બાલે મિત્ર કલત્રા કેલવે તૈતલ હય ગય ફાલે ૨૯ ગર કરણે કરસણ કરે વણિજે વાંણીજ હાઇ ભદ્રાએ હણીએ વિરીયાં શનિ ઔષધ જે ૩૦ શાંતિ કર્મ ચતુષ્પદ ફલે બાગે સહાગ કહાઈ મંગલ કીજે કિસતુને કહે હીર વિગતાઈ ૩૧
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy