SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ફાધર . ૨ શાનપરા રાવ શિખરની નીચે ઉપરની પહેળાઈ રાખવાનું પ્રમાણ મૂળ શિખર એટલે પાય દશ ભાગ કરવા. અને ઉપર છ ભાગનું બાંધણે રાખવું તેને સ્કંધ કહે છે. તે પાંચ ભાગે પણ રાખી શકાય. બાકીની સ્કંધની ડાબી જમણી તરફ નમણ રહે છે. છ ભાગથી બાંધણું (સ્કંધ) વધારે પહેલું રાખવાથી દોષ કહ્યો છે. અને પાંચ ભાગથી ઓછી પહેળાઈ સ્કંધ બાંધણે હોય તેવું શિખર ભતું નથી. ૨૩ रेखाविस्तारमानेन दशभागविभाजितम् ॥ २४ ॥ द्विभागः कोण इत्युक्त भद्र भागत्रयं भवेत् । प्रतिरथः सार्द्रभाग उभयोः परिपक्षयोः ॥ २५ ॥ स्कंधनवांशे सार्द्धद्वौ रथकोणौ द्विभद्रकम् । શિખરના પાય અને બાંધણે (સ્કંધે) પહોળાઈમાં ફાલનાકનાશક પાડવાના વિભાગ કહે છેઃ – શિખરના પાય (મૂલકણું) દશ ભાગ કરવા. તેમાંથી રેખા બે ભાગ, પ્રતિરથ દોઢભાગ, અને અરધું ભદ્ર દેઢભાગ, આ પ્રમાણે ગભથી બંને બાજુ મળી દશ ભાગ જાણવા. અને શિખરના ઉપલા ભાગે સ્કંધે--આંધણે નવ ભાગ કરવા. તેમાં બે ભાગ રેખા, દેઢભાગ પ્રતિરથ અને આખું ભદ્ર બે ભાગનું મળી (૨+ના+ર+ના+૨=૯) કુલ નવ ભાગ જાણવા. ૨૪-૨૫ માંડવોદય અને શિખરદયનું સામાન્ય પ્રમાણ– શિર્થતા જાન્તપુર મfશતિ ને રદ્દ मंडोवरोऽष्टार्थाष्ट नत्र ज्येष्ठादिमानतः । शेषोदये शिखरं स्यात् प्रयुक्त वास्तुवेदिभिः ॥ २७ ॥ . નીચે ખરશિલાથી ઈંડા કળશના મથાળા સુધીની કુલ ઉંચાઈના વિશ ભાગ કરી તેમાં મંડેવર આઠ ભાગને ઉચે તે ; સાડાઆઠ ભાગને ઊંચે મડેવર મધ્યમ અને નવ ભાગ ઊંચે મડેવર કનિષ્ઠ માનને જાણો. અને બાકીના જે ભાગ રહ્યા તે શિખરના ઉદયના જાણુવા. એમ સામાન્ય રીતને ઉદય વાસ્તુશાસ્ત્રના જ્ઞાતાઓએ કહ્યો છે. ૧. શિખરના પાયચે મૂળ રેખાના દશ ભાણ કરી છ ભાગનું બંધાણુ સ્કન્ધ રાખવાથી, તે જરા જાડું બથડ લાગે છે. પાંચ ભાગનું થાય ખરું, પરંતુ ઉપરથી પાતળું લાગે છે. પરંતુ સામાન્ય રીતે સાડા પાંચ ભાગે રાધે રાખવાથી સુંદર લાગે છે. આ સર્વ રચન તે શિલ્પીઓની માન્યતા અને દૃષ્ટિ પર અવલંબે છે,
SR No.008415
Book TitleDiparnava Purvardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages642
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy