________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૯] એવામાં રાજા પ્રતિસૂર્ય -અંજીનીના મામા નજીક આવીને બધાને કહેવા લાગ્યા કે શાંત થાઓ, હું વાયુકુમારની સાથે વચનાલાપ કરું છું. –આમ કહીને પવનકુમારને ભેટીને તેના કાનમાં કહેવા લાગ્યા-હું કુમાર, સાંભળો! હું તમને અંજનીનો વૃત્તાંત કહું છું સંધ્યાભ્ર નામના સુંદર પર્વત ઉપર અનંગવિજય નામના મુનિરાજને કેવળજ્ઞાન થતાં ઇંદ્રાદિક દેવો તેમના દર્શને આવ્યા હતા, અને હું પણ ત્યાં ગયો હતો. કેવળીભગવાનની વંદના કરીને પાછા ફરતાં જ્યારે મારું વિમાન એક પર્વતની ગૂફા ઉપર આવ્યું ત્યારે ગૂફામાંથી કોઈ સ્ત્રીના રુદનનો અવાજ સાંભળ્યો; ગૂફામાં જઈને જોયું તો અંજનીને દેખી. મેં તેના વનવાસનું કારણ પૂછયું ત્યારે તેની સખી વસંતમાળાએ બધી વાત કરી. અંજની શોકમગ્ન થઇને રુદન કરતી હતી, તેને મેં બૈર્ય બંધાવ્યું. એ ગૂફામાં એના પુત્રનો જન્મ થયો હતો, તે પુત્રની ક્રાંતિને લીધે ગૂફા જાણે કે સોનાની બનેલી હોય-એવી પ્રકાશરૂપ થઈ ગઈ હતી....
આ વાત સાંભળતાં જ એકદમ હર્ષિત થઈને પવનકુમાર પૂછવા લાગ્યો-અંજની ક્યાં છે ! બાળક તો સુખમાં છેને?
પ્રતિસૂર્ય કહ્યું: અંજનીને તેના બાળક સહિત વિમાનમાં બેસાડીને હું મારા રાજ્યમાં-હુનુ હું દ્વીપે લઈ જતો હતો, ત્યાં માર્ગ માં તે બાળક વિમાનમાંથી એકાએક ઊછળીને એક શિલા ઉપર પડ્યો,
બાળક પડી જવાની વાત સાંભળતાંજ “હાય ! હાય !' એવા ઉદ્ગાર પવનકુમારના મુખમાંથી નીકળી પડ્યા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com