________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૩] જરૂર તે અહીં જ રહી હશે.. એ જિનેન્દ્રભગવાનની પરમ ભક્ત, –તેણે જ દર્શન-પૂજન માટે આ જિનપ્રતિમા અહીં સ્થાપી હશે. અહો ! ગમે તેવા સકંટમાં પણ જિનેન્દ્રદેવને કેમ ભૂલાય !! –આમ વિચારતો કુમાર ગૂફામાં તેમજ આસપાસમાં અંજનીને શોધવા લાગ્યો... મોટા અવાજે એના નામનો સાદ પાડવા લાગ્યો.... પણ ક્યાંય અંજનીનો પત્તો ન લાગ્યો.
પર્વતમાં અને વન-જંગલમાં ફરી ફરીને પવનકુમારે તપાસ કરી પણ ક્યાંય પોતાની પ્રાણવલ્લભાને ન દેખી તેથી નિરાશ થઇને તે વિરહથી પિડાવા લાગ્યો, આખું જગત એને શૂન્ય જેવું લાગ્યું કે હવે તો મરણનો જ નિશ્ચય કર્યો. ન પર્વતમાં કે ન ગૂફામાં, ન મનોહર વૃક્ષમાં કે ન નદીકિનારે, –
ક્યાંય પણ પોતાની પ્રાણપ્રિયા વગર એના મનમાં ચેન નથી પડતું. મોહથી ભાન ભૂલીને પોતાની સ્ત્રીની વાત ઝાડને પણ પૂછે છે કે ક્યાંય મારી પ્રિયાને દીઠી ! પર્વતને પણ પૂછે છે કે અરે પર્વત! તારી કોઈ ગૂફામાં તે મારી અંજનીને સંતાડી છે!! –એ પ્રમાણે ભમતાં ભમતાં ભૂતવર નામના વનમાં આવ્યો. ત્યાં આવીને હાથી ઉપરથી ઊતર્યો અને જેમ મુનિઓ આત્માનું ધ્યાન કરે તેમ તે પોતાની પ્રિયાનું ધ્યાન કરવા લાગ્યો. હથિયાર અને બર જમીન ઉપર નાખી દીધો અને હાથીને કહેવા લાગ્યોઃ હે ગજરાજ! હવે તમે આ વનમાં સ્વચ્છંદપણે વિચરો. હાથી વિનયપૂર્વક પાસે ઊભો છે તેને સંબોધીને કુમાર કહે છે: હું ગજેન્દ્ર! આ નદીકિનારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com