________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૪]. મોટું વન છે તેમાં ચારો ચરજો ને ત્યાં હાથણીઓનું ટોળું છે તેના નાયક થઈને વિચરજો.
-પરતું તે હાથી તો કૃતજ્ઞ હતો, સ્વામી પ્રત્યે તેને ઘણો સ્નેહ હતો, તેથી જેમ ભલો ભાઈ પોતના ભાઇનો સંગ ન છોડે તેમ તેણે કુંવરનો સંગ ન છોડ્યો. તે પણ ઉદાસચિત્તે કુંવરની પાસે જ રહ્યો.
કુમાર અતિ શોકવંત છે, પ્રિયામાં જ તેનું મન લાગેલું છે, તેથી તે એવો વિકલ્પ કરે છે કે મારી અત્યંત પ્રિય અંજની નો નહિ મળે તો હું આ વનમાંજ પ્રાણત્યાગ કરીશ. આમ વનમાં બેઠોબેઠો અનેક પ્રકારના વિકલ્પોની વ્યાકુળતાથી પવનકુમાર રાત્રિ વીતાવી રહ્યો છે. પવનકુમાર અંજનાના ધ્યાનમાં એવો લયલીન થયો, –શાસ્ત્રકાર કહે છે કે તેણે જેવું અંજનીનું ધ્યાન કર્યું તેવું જ મુક્તિનું ધ્યાન કર્યું હોત તો તત્ક્ષણ તે મુક્તિ પામ્યો હોત!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com