________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૭] સવાર થતાં બન્નેએ ગૂફામાં બિરાજમાન શ્રી મુનિસુવ્રત ભગવાનના પ્રતિમાજીની અતિશય ભાવપૂર્વક
સ્તુતિ કરીને પૂજન કર્યું. વસંતમાલા અનેક પ્રકારે અંજનીના ચિત્તને પ્રસન્ન કરે છે, અને કહે છે કે અરે દેવી! જો તો
ખરી... તારા પધારવાથી આ વન અને પર્વત પણ મહાન હર્ષ પામ્યા છે, તેથી ઝરણાંના કલકલ નાદથી તેઓ હસી રહ્યા છે,
આ વનનાં વૃક્ષો નમ્રીભૂત થઇને જાણેકે તને ફળ અર્પણ કરી રહ્યાં છે, મોર-પોપટ ને એના મધુર શબ્દોથી તારું સ્વાગત કરે છે; માટે હું કલ્યાણરૂપિણી ! હે પુણવંતી ! તું ચિંતાને વશ ન થા, તું પ્રસન્ન રહે, આ વનમાં સર્વ કલ્યાણ થશે અને દેવ પણ તારી સેવા કરશે. તારું શરીર નિષ્પાપ , તારું શીલ નિર્દોષ છે, તેથી આ પક્ષીઓ પણ હર્ષથી તારી પ્રશંસા કરે છે. તારા અહીં બિરાજવાથી આ આખું વન આનંદથી નાચી રહ્યું છે... અને તારા દર્શન કરવા માટે આ સૂર્ય પણ આવી રહ્યો છે...
વસંતમાલાની પ્રસન્નતા ભરેલી વાત સાંભળીને અંજની કહેવા લાગી–હે સખી! તું મારી સાથે છે તો મારે બધું કુટુંબ પાસે જ છે, અને તારા પ્રસાદથી આ વન પણ મારે નગર સમાન છે, સંકટમાં જીવને જે સહાય કરે તે જ સાચા બાંધવ છે, અને જે દુઃખદાતાર છે તે બાંધવ નથી પણ શત્રુ છે. હે સખી! આ સંકટમાં તારા સહવાસથી મારું દુઃખ ભૂલાઈ ગયું–આમ એકબીજી સાથે પ્રેમપૂર્વક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com