SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૧] તેથી તારા ઉપર, તું નિર્દોષ હોવા છતાં ઘોર કલંક આવી પડયાં; પૂર્વે નિંધ કર્મ કરવાથી તે આવા મહા દુઃખ પામી.. માટે ફરીને આવું નિંદ્ય કર્મ કદી ન કરજે. સંસાર સમુદ્રથી તારણહાર એવા શ્રી જિનેન્દ્રદેવની તું ભક્તિ કર. આ પૃથ્વીમાં જે સુખ છે તે સર્વ જિનભક્તિના પ્રતાપથી થાય છે. આ પ્રમાણે શ્રી મુનિરાજ પાસેથી પોતાના પૂર્વભવની વાત સાંભળીને અંજની વિસ્મય પામી અને પોતાના કરેલા અપરાધને નિંદતી થકી ધણો પશ્ચાત્તાપ કરવા લાગી. ત્યારે શ્રી મુનિરાજે કહ્યું –હે પુત્રી! તું શાંત થા અને તારી શક્તિપૂર્વક જિનધર્મનું સેવન કર. પરમ ભક્તિપૂર્વક શ્રી જિનેન્દ્રદેવની તથા સંત-મુનિઓની ઉપાસના કર. પૂર્વે તે એવું નિંધ કર્મ કર્યું કે તું અધોગતિમાં જાત, પરંતુ સંયમશ્રી આર્યાએ ધર્મોપદેશરૂપી હસ્તાવલંબન દઇને તને કુગતિમાં પડતાં બચાવી. હવે થોડા વખતમાં તું પરમ સુખ પામીશ, તારો પુત્ર દેવોથી પણ ન જિતાય એવો મહા પરાક્રમી થશે, હવે થોડા દિવસોમાં જ તને તારા પતિનો મેળાપ થશે. માટે હું ભવ્યા! તું તારા ચિત્તમાંથી ખેદ છોડી દે અને પ્રમાદરહિત થઇને ધર્મક્રિયામાં ઉદ્યમી થા. શ્રી મુનિરાજના આવા વચન સાંભળીને અંજની તથા વસંતમાલા બહુ જ પ્રસન્ન થઈ, આનંદથી તેમનાં નેત્રો ફૂલી ગયા. “અહો! આ ઘોર વનમાં આપ અમને ધર્મપિતા મળ્યા, આપનાં દર્શનથી અમારાં દુઃખ દૂર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008404
Book TitleBe Sakhi
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year1962
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size634 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy