________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૭] અનિત્યાદિ બાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતવન કરીને જ્ઞાનચેતનારૂપ થયા, મહાન તપ કર્યું, પોતાના રત્નત્રયરૂપ નિજભાવોમાં નિશ્ચલ થયા ને જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવમાં મગ્ન થયા. તપના પ્રભાવથી તેમને અનેક ઋદ્ધિઓ પ્રગટી, એમના શરીરને સ્પર્શીને જે પવન આવે તે પણ પ્રાણીઓના અનેક રોગને મટાડી દે; –આવી અનેક ઋદ્ધિઓ હોવા છતાં પોતે નિર્જરાના હેતુથી બાવીશ પરિષહો સહુતા હતા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં જ્યોતિષચક્રને ઉલ્લંઘીને લાંતવ નામના સાતમા સ્વર્ગમાં મહાન ઋદ્ધિધારક દેવ થયા. જેવું રૂપ કરવું હોય તેવું કરે અને જ્યાં જવું હોય ત્યાં જાય, તેમજ વચનથી કહી ન શકાય એવો અદ્દભુત સ્વર્ગનો વૈભવ, છતાં આને તો પરમધામમોક્ષપદની જ ભાવના, તેથી તે સ્વર્ગના સુખમાં મગ્ન ન થયા.
તે સ્વર્ગમાંથી ચવીને તે આરાધક આત્મા અહીં અંજનીની કુંખે આવ્યો છે, તે મહા પરમસુખને પામશે, તે ચરમશરીરી છે, હવે ફરીને દેહ ધારણ નહિ કરે, આ જ ભવમાં અવિનાશી સિદ્ધિસુખને સાધશે.
–આ તો ગર્ભમાં આવેલા પુત્રનો વૃત્તાન્ત કહ્યો. હવે તે કલ્યાણચેષ્ટાવતી! જે કારણથી આ અંજનીને પતિનો વિરહ તથા કુટુંબદ્વારા નિરાદર થયો તે વૃત્તાંત સાંભળ
આ અંજનીસુંદરીએ પૂર્વભવમાં પટરાણીપદના અભિમાનથી પોતાની શોકય ઉપર ક્રોધ કરીને, દેવાધિદેવ શ્રી જિનેન્દ્રદેવની પ્રતિમા મંદિરમાંથી બહાર કાઢી હતી; તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com