________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૬ ] હતો, તેની સ્ત્રીને “દમયન્ત” નામનો ગુણવાન પુત્ર હતો. તે વસંતઋતુમાં મિત્રોની સાથે વનમાં ક્રીડા કરવા ગયેલ. ત્યાં તેણે એક મહા મુનિ દેખ્યા, -આકાશ જેમનું વસ્ત્ર હતું, તપ જેમનું ધન હતું અને ધ્યાન-સ્વાધ્યાયમાં જેઓ ઉધમી હતા; આવા મુનિને દેખતાં જ દમયન્ત પોતાની મિત્રમંડળીને છોડીને મુનિઓની મંડળીમાં ગયો ત્યાં જઈ નમસ્કાર કરી, ધર્મનું વ્યાખ્યાન સાંભળીને સમ્યગ્દર્શન ગ્રહણ કર્યું અને શ્રાવકના વ્રત ધારણ કર્યા, તેમજ અનેક પ્રકારના નિયમો લીધા. એકવાર દાતાના સાતગુણો તથા નવધા ભક્તિસહિત સાધુઓને આહારદાન કર્યું. અને કેટલાક દિવસો પછી સમાધિમરણ કરીને સ્વર્ગમાં ગયો.
સ્વર્ગમાંથી આવીને, જંબુદ્વીપના મૃગાંક નગરમાં હરિચંદ્રરાજાની પ્રિયંગુલક્ષ્મી રાણીનો “સિંહચંદ્ર' નામનો પુત્ર થયો; ત્યાં પણ સંતોની સેવા કરીને, સમાધિમરણ કરીને સ્વર્ગમાં ગયો.
ત્યાંથી આવીને, ભરતક્ષેત્રના વિજયાદ્ધ પર્વત ઉપર અહુનપુર નગરમાં સુકંઠ રાજાની કનકોદરી રાણીનો સિંહવાહન” નામનો પુત્ર થયો, તે ગુણવાન અને રૂપવાન હતો, તેણે ઘણા દિવસ સુધી રાજ્ય કર્યું અને પછી શ્રી વિમલનાથ ભગવાનના સમવસરણમાં આત્મજ્ઞાનપૂર્વક સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં, લક્ષ્મીવાહન નામના પુત્રને રાજ્ય સોંપીને, અસાર સંસારને છોડીને લક્ષ્મીતિલક મુનિના શિષ્ય થયા, વીતરાગદેવે કહેલો મુનિધર્મ અંગીકાર કર્યો,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com