________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૯-૧૦ ]
[ ૪૫૫ ટીકા ઇંદ્રિયો બે પ્રકારની છે-દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય; તેની વ્યાખ્યા બીજા અધ્યાયના ૧૭-૧૮ મા સૂત્રની ટીકામાં આપી છે-જુઓ પા. ર૬૫ થી ર૬૭, ભાવેન્દ્રિય તે જ્ઞાનનો ઉધાડ છે; તે જ પદાર્થોને જાણે તે પદાર્થો જ્ઞાનના વિષય હોવાથી શેય છે, પણ જો તે પ્રત્યે રાગ-દ્વેષ કરવામાં આવે તો તેને ઉપચારથી ઈદ્રિયોના વિષયો કહેવામાં આવે છે. ખરેખર તે વિષયો (શેય પદાર્થો) પોતે ઇષ્ટ કે અનિષ્ટ નથી પણ જીવ જ્યારે રાગ-દ્વેષ કરે ત્યારે ઉપચારથી તે પદાર્થોને ઈષ્ટઅનિષ્ટ કહેવાય છે. આ સૂત્રમાં તે પદાર્થો તરફના રાગ-દ્વેષ છોડવાની ભાવના કરવાનું જણાવ્યું છે. રાગનો અર્થ લોલુપતા છે અને દ્વેષનો અર્થ નારાજી, તિરસ્કાર છે. || ૮ |
હિંસા વગેરેથી વિરક્ત થવાની ભાવના
हिंसादिष्विहामुत्रापायावधदर्शनम्।।९।। અર્થ:- [ હિંસાવિષ] હિંસા વગેરે પાંચ પાપોથી [ રૂદ મુત્ર] આ લોકમાં તથા પરલોકમાં [પાયવર્ઝનમ્] નાશની (દુઃખ, આપત્તિ, ભય તથા નિંધગતિની) પ્રાપ્તિ થાય છે-એમ વારંવાર ચિંતવન કરવું જોઈએ.
ટીકા અપાય-અભ્યદય અને મોક્ષ માટેની જીવની ક્રિયાને નાશ કરનારો ઉપાય તે અપાય છે.
અવધક નિંધ, નિંદવાયોગ્ય. હિંસા વગેરે પાપોની વ્યાખ્યા સૂત્ર ૧૩ થી ૧૭ સુધીમાં આવશે. || ૯ાા
દુ:શ્વમેવ વાતો ૨૦ અર્થ:- [વા ] અથવા તે હિંસાદિક પાંચ પાપો [ ;: pવ ] દુઃખરૂપ જ છેએમ વિચારવું.
ટીકા ૧. અહીં કારણમાં કાર્યનો ઉપચાર સમજવો, કેમ કે હિંસાદિ તો દુઃખનાં કારણ છે પણ તેને જ કાર્ય અર્થાત્ દુઃખરૂપ વર્ણવ્યાં છે.
૨. પ્રશ્ન- વિષયરમણતાથી તથા ભોગવિલાસથી રતિસુખ ઊપજે છે, એમ અમે દેખીએ છીએ, છતાં તેને દુઃખરૂપ કેમ કહ્યું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com