________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૯૬ ]
[ મોક્ષશાસ્ત્ર પણ અહિંસાદિરૂપ પુણ્યાસ્રવ છે તેને ઉપાદેય માને છે; હવે એ બન્ને આસ્રવો હોવાથી કર્મબંધનાં કારણો છે, તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યાદર્શન છે. સર્વ જીવોને જીવન-મરણ, સુખ-દુઃખ પોતપોતાના કર્મોદયના નિમિત્તથી થાય છે છતાં જ્યાં અન્ય જીવ અન્ય જીવનાં કાર્યોનો કર્તા થાય એમ માનવું એ જ મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે. અન્ય જીવને જીવાડવાનો કે સુખી કરવાનો અધ્યવસાય થાય તે તો પુણ્યબંધના કારણરૂપ છે, અને મારવાનો તથા દુ:ખી કરવાનો અધ્યવસાય થાય તે પાપબંધના કારણરૂપ છે. એ સર્વ મિથ્યા-અધ્યવસાય છે, તે ત્યાજ્ય છે; માટે હિંસાદિકની માફક અહિંસાદિકને પણ બંધનાં કારણરૂપ જાણીને હેય માનવાં. હિંસામાં સામા જીવને મા૨વાની બુદ્ધિ થાય પણ તેનું આયુ પૂર્ણ થયા વિના તે મરે નહિ અને પોતાની દ્વેષપરિણતિથી પોતે જ પાપ બાંધે છે; તથા અહિંસામાં પરની રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ તેના આયુઅવશેષ વિના તે જીવે નહિ, માત્ર પોતાની શુભરાગ પરિણતિથી પોતે જ પુણ્ય બાંધે છે. એ પ્રમાણે એ બન્ને હેય છે. પણ જ્યાં જીવ વીતરાગ થઈ દ્રષ્ટા-જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં જ નિર્બંધતા છે માટે તે ઉપાદેય છે.
એવી નિર્બંધદશાન થાય ત્યાંસુધી જીવને શુભરાગ થાય; પરંતુ શ્રદ્ધાન તો એવું રાખવું કે આ પણ બંધનું કારણ છે-હેય છે-અધર્મ છે. જો શ્રદ્ધાનમાં જીવ તેને મોક્ષમાર્ગ જાણે તો તે મિથ્યાદષ્ટિ જ છે. ( મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૨૨૯-૨૩૦).
૩. શુભયોગ તથા અનુભયોગના અર્થો
શુભયોગઃ- પંચ પરમેષ્ઠીની ભક્તિ, પ્રાણીઓ પ્રત્યે ઉપકારભાવ, રક્ષાભાવ, સત્ય બોલવાનો ભાવ, પરધન હરણ ન કરવાનો ભાવ-ઇત્યાદિ શુભ પરિણામથી રચાયેલા યોગને શુભયોગ કહે છે.
અશુભયોગઃ- જીવોની હિંસા કરવી; અસત્ય બોલવું, પરધન હરણ કરવું, ઈર્ષા કરવી-ઇત્યાદિ ભાવોરૂપ અશુભપરિણામથી રચાયેલા યોગને અશુભયોગ કહે છે. ૪ આસવમાં શુભ અને અશુભ એવા ભેદ શા માટે ?
પ્રશ્ન:- આત્માને પરાધીન કરવામાં પુણ્ય અને પાપ બન્ને સમાન કારણ છેસુવર્ણની સાંકળ અને લોઢાની સાંકળની જેમ પુણ્ય અને પાપ તે બન્ને આત્માની સ્વતંત્રતાનો અભાવ ક૨વામાં સરખાં છે- તો પછી તેમાં શુભ અને અશુભ એવા ભેદ કેમ કહ્યા ?
ઉત્ત૨:- તેમના કારણે મળતી ઇષ્ટ-અનિષ્ટ ગતિ, જાતિ વગેરેની રચનાના
ભેદનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com