________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪ ]
| [ મોક્ષશાસ્ત્ર ૬. સમ્યગ્દષ્ટિનું અને મિથ્યાદષ્ટિનું જ્ઞાન (૧) આ મુખ્ય-ગૌણના ભેદને સમ્યગ્દષ્ટિ જાણે છે; મિથ્યાદષ્ટિ અનેકાન્ત વસ્તુને જાણતો નથી અને સર્વથા એક ધર્મ ઉપર દૃષ્ટિ પડે ત્યારે તે એક ધર્મને જ સર્વથા વસ્તુ માનીને વસ્તુના અન્ય ધર્મોને તો સર્વથા ગૌણ કરીને અસત્યાર્થ માને અથવા તો અન્ય ધર્મોનો સર્વથા અભાવ જ માને છે. એમ માનવાથી મિથ્યાત્વ દઢ થાય છે. જ્યાં સુધી જીવ યથાર્થ વસ્તુસ્વરૂપ જાણવાનો પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી યથાર્થ શ્રદ્ધા થતી નથી. આ અનેકાન્ત વસ્તુને પ્રમાણ-નય વડે સાતભંગથી સાધવી તે સમ્યકત્વનું કાર્ય છે, તેથી તેને પણ સમ્યકત્વ જ કહીએ છીએ એમ જાણવું. જિનમતની કથની અનેક પ્રકારે છે તે અનેકાન્તરૂપે સમજવી.
(૨) આ સપ્તભંગીના અતિ અને નાસ્તિ એ બે પ્રથમ ભેદો ખાસલક્ષમાં લેવા જેવા છે; તે બે ભેદો એમ બતાવે છે કે જીવ પોતામાં સવળા કે અવળા ભાવ કરી શકે પણ પરનું કાંઈ કરી શકે નહિ, તેમજ પરદ્રવ્યરૂપ અન્ય જીવો કે જડ કર્મ વગેરે સૌ પોતપોતામાં કાર્ય કરી શકે પણ તે કોઈ આ જીવનું ભલું, બૂરું કાંઈ કરી શકે નહિ; માટે પરવસ્તુઓ તરફથી લક્ષ ઉઠાવી અને પોતામાં પડતા ભેદોને ગૌણ કરવા માટે તે ભેદો ઉપરથી પણ લક્ષ ઉઠાવી લઈને પોતાના ત્રિકાળી અભેદ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ઉપર દૃષ્ટિ આપવી; તેને આશ્રયે નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટે છે. તેનું ફળ અજ્ઞાનનો નાશ થઈને ઉપાદેયની બુદ્ધિ અને વીતરાગતાની પ્રાપ્તિ છે.
૭. અનેકાન્ત શું બતાવે છે? ૧. અનેકાન્ત વસ્તુને પરથી અસંગ બતાવે છે. અસંગપણાની સ્વતંત્ર શ્રદ્ધા તે અસંગપણાની ખીલવટનો ઉપાય છે; પરથી જુદાપણું તે વસ્તુનો સ્વભાવ છે.
૨. અનેકાંત વસ્તુને “સ્વપણે છે અને પરપણે નથી' એમ બતાવે છે. પરપણે આત્મા નથી તેથી પરવસ્તુનું કાંઈ પણ કરવા આત્મા સમર્થ નથી; અને પરવસ્તુ ન હોય તેથી આત્મા દુઃખી પણ નથી.
“તું તારાપણે છો ” તો પરપણે નથી અને પરવસ્તુ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તેને ફેરવવા તું સમર્થ નથી. બસ! આટલું નક્કી કર તો શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ તારી પાસે જ છે.
૩. અનેકાન્ત વસ્તુને સ્વપણે સત્ બતાવે છે. સને સામગ્રીની જરૂર નથી, સંયોગની જરૂર નથી; પણ સત્ને સના નિર્ણયની જરૂર છે કે “સપણે છું, પરપણે નથી.'
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com