________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૪ સૂત્ર ૩૩-૩૪-૩૫ ]
[ ૨૯૩
૩૨, વિજય આદિમાં ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. સર્વાર્થસિદ્ધિના બધા દેવોને ૩૩ સાગરની જ સ્થિતિ હોય છે, તેથી ઓછી કોઈને હોતી નથી.
,
(૨) મૂળ સૂત્રમાં ‘અનુદિશ ' શબ્દ નથી પણ ‘વિ' શબ્દથી અનુદિશનું પણ ગ્રહણ થાય છે. ।। ૩૨।।
સ્વર્ગોનું જઘન્ય આયુષ્ય
अपरा पल्योपमधिकम् ।। ३३ ।।
અર્થ:- સૌધર્મ અને ઐશાન સ્વર્ગમાં જઘન્ય આયુષ્ય એક પલ્યથી કંઈક અધિક છે.
ટીકા
સાગર અને પલ્યનું માપ ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રની ટીકામાં આપ્યું છે, ત્યાં અઢાપલ્ય લખ્યું છે તે જ પલ્ય સમજવું. ।। ૩૩।।
परतः परतः पूर्वा पूर्वाऽनंतरा ।। ३४ ।।
અર્થ:- જે પહેલાં પહેલાંના યુગલોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે પછી પછીનાં યુગલોનું જઘન્ય આયુષ્ય છે.
ટીકા
સૌધર્મ અને ઐશાન સ્વર્ગનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરથી કંઈક અધિક છે; તેટલું જ સાનકુમાર અને માહેન્દ્રનું જઘન્ય આયુષ્ય છે. આ ક્રમ મુજબ આગળના દેવોનું જઘન્ય આયુષ્ય જાણી લેવું. સર્વાર્થસિદ્ધિમાં જઘન્ય આયુષ્ય હોતું નથી. ।। ૩૪।। નારકીઓનું જઘન્ય આયુષ્ય
नारकाणां च द्वितियादिषु ।। ३५ ।।
અર્થ:- બીજી વગેરે નરકના નારકીઓનું જઘન્ય આયુષ્ય પણ દેવોના જઘન્ય આયુષ્યની જેમ છે અર્થાત્ જે પહેલી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ બીજી નરકનું જઘન્ય આયુષ્ય છે. આ પ્રમાણે આગળની નરકોમાં પણ જઘન્ય આયુષ્ય જાણી લેવું.।।૩૫।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com