SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અ. ૧. પિર. ૫] [ ૧૬૭ ', ગયા હોય, દટાઈ ગયા હોય, ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિમ્બ્રિત થયા હોય એવી રીતે એક ક્ષણમાં જ જે શુદ્ધાત્મા પ્રત્યક્ષ કરે છે,... (પ્ર. સાર ગાથા-૨૦૦ની ટીકા ) (૮) “ઘાતિકર્મનો નાશ થતાં અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય–એ અનંતચતુષ્ટય પ્રગટ થાય છે. ત્યાં અનંતદર્શન-જ્ઞાનથી તો, છ દ્રવ્યોથી ભરપૂર આ લોક છે તેમાં જીવ અનંતાનંત અને પુદ્દગલ એનાથી પણ અનંતગુણા છે; અને ધર્મ, અધર્મ તથા આકાશ એ ત્રણ દ્રવ્ય અને અસંખ્ય કાળદ્રવ્ય છે-તે સર્વ દ્રવ્યોની ભૂત-ભવિષ્ય-વર્તમાનકાળ સંબંધી અનંત પર્યાયોને ભિન્ન-ભિન્ન એક સમયમાં દેખે અને જાણે છે.” [અષ્ટપાહુડ-ભાવપાહુડ ગાથા-૧૫૦ ની પં. જયચંદ્રજીકૃત ટીકા ] (૯) શ્રી પંચાસ્તિકાયની શ્રી જયસેનાચાર્યકૃત સં. ટીકા રૃ. ૮૭ ગાથા પ માં કહ્યું છે કે બાળાખાનું નત્યિ જેવલિનો ( ગાથા-૫ ) “કેવળી ભગવાનને જ્ઞાનાજ્ઞાન હોતું નથી, અર્થાત્ તેમને કોઈ વિષયમાં જ્ઞાન અને કોઈ વિષયમાં અજ્ઞાન વર્તે છે એમ હોતું નથી, પણ સર્વત્ર જ્ઞાન જ વર્તે છે.’ (૧૦) ભગવંત ભૂતબલિ આચાર્ય પ્રણીત મહાબંધ પ્રથમ ભાગ, પ્રકૃતિબંધ અધિકાર પૃ. ૨૭-૨૮ માં કેવળજ્ઞાનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે: ,, “કેવળીભગવાન ત્રિકાળાવચ્છિન્ન લોક–અલોક સંબંધી સંપૂર્ણ ગુણ-પર્યાયોથી સમન્વિત અનંત દ્રવ્યોને જાણે છે. ” એવું કોઈ જ્ઞેય હોઈ શકતું નથી કે જે કેવળી ભગવાનના જ્ઞાનનો વિષય ન હોય. જ્ઞાનનો ધર્મ જ્ઞેયને જાણવાનો છે અને જ્ઞેયનો ધર્મ છે જ્ઞાનનો વિષય થવાનો. એમાં વિષયવિષયભાવ સંબંધ છે. જ્યારે મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા પણ આ જીવ વર્તમાન સિવાય ભૂત તથા ભવિષ્યકાળની વાતોનું પરિશાન કરે છે, ત્યારે કેવળી ભગવાન દ્વારા અતીત, અનાગત, વર્તમાન સર્વ પદાર્થોનું ગ્રહણ ( -જ્ઞાન ) કરવું યુક્તિયુક્ત જ છે... જો ક્રમપૂર્વક કેવળીભગવાન અનંતાનંત પદાર્થોને જાણત તો સર્વ પદાર્થોનો સાક્ષાત્કાર ન થઈ શકત. અનંતકાળ વ્યતીત થવા છતાં પણ પદાર્થોની અનંત ગણના અનંત જ રહેત. આત્માની અસાધારણ નિર્મળતા થવાને લીધે એક સમયમાં જ સર્વ પદાર્થોનું ગ્રહણ (–જ્ઞાન ) થાય છે. ‘જ્યારે જ્ઞાન એક સમયમાં સંપૂર્ણ જગતનો અથવા વિશ્વના તત્ત્વોનો બોધ કરી લે છે, તો આગળ તે કાર્યહીન જઈ જશે’–એ આશંકા પણ યોગ્ય નથી; કારણ કે કાળદ્રવ્યના નિમિત્તે તથા અગુરુલઘુગુણના કારણે સમસ્ત વસ્તુઓમાં Please inform us of any errors on [email protected]
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy