________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
આગળ ચોથો ભેદ કહે છે
गर्हितमवद्यसंयुतमप्रियमपि भवति वचनरूपं यत्। सामान्येन त्रेधा मतिमदमनृतं तुरीयं तु।।९५ ।।
અન્વયાર્થ- [1] અને [ રૂદ્ર] આ [ તુરીયં] ચોથું [ નૃતં ] અસત્ય [ સામાન્ય ] સામાન્યરૂપે [ગર્વિતમ] ગર્વિત, [ગવદ્યસંયુતમ્] પાપ સહિત [ ] અને [ પ્રિયમ] અપ્રિય- એ રીતે [ 2ધા ] ત્રણ પ્રકારનું [મત ] માનવામાં આવ્યું છે. [યત્] કે જે [ વનવું] વચનરૂપ [ ભવતિ ] છે.
ટીકાઃ- “રૂવૅ તુરીય આવૃત્તિ સામાન્યૂન 2ધા મત—વત્ કવિ વવનાં ગર્જિત ગવદ્યરસંયુતં પ્રિય મવતિ'- આ ચોથો જુઠનો ભેદ ત્રણ પ્રકારે છે. ૧. વચનથી નિંદાના શબ્દો કહેવા. રહિંસા સહિત વચન બોલવાં, ૩. અપ્રિય વચન અર્થાત બીજાને ખરાબ લાગે તેવાં વચન બોલવાં. આ ત્રણ ભેદ છે. ૯૫.
આગળ ત્રણ ભેદોનું અલગ અલગ વર્ણન કરે છે. પહેલાં
ગતિનું સ્વરૂપ કહે છે
पैशून्यहासगर्भं कर्कशमसमञ्जसं प्रलपितं च। अन्यदपि यदुत्सूत्रं तत्सर्वं गर्हितं गदितम्।। ९६ ।।
અન્વયાર્થ- [ પૈશૂન્યદાસ મ ] દુષ્ટતા અથવા કુથલીરૂપ હાસ્યવાળું [ શ ] કઠોર, [ અસમંજ્ઞi ] મિથ્યાશ્રદ્ધાનવાળું [૨] અને [પ્રપિત ] પ્રલાપરૂપ (બકવાદ ) તથા [અન્યu] બીજાં પણ [] જે [ ૩સૂત્ર] શાસ્ત્ર-વિરુદ્ધ વચન છે [તત્સર્વ] તે બધાને [ Tર્ણિત] નિંધ વચન [ વિતમૂ ] કહ્યું છે.
ટીકાઃ- “ય વન પૈન્યદાસTર્મ શું સમગ્ગખં પ્રતપિત્ત ૨ અન્યત્ uિ ૩સૂત્ર તત્ અર્દિતમ્ પવિતમ્'- જે વચન દુષ્ટતા સહિતનું હોય, બીજા જીવનું બૂરું કરનાર હોય, પોતાને રૌદ્રધ્યાન થાય તેવું હોય, તથા હાસ્યમિશ્રિત હોય, અન્ય જીવના મર્મને ભેદનારું હોય, પોતાને પ્રમાદ કરાવનારું હોય, કર્કશ-કઠોર હોય, અસમંજસ-મિથ્યાશ્રદ્ધા કરાવનાર હોય અને અપ્રમાણરૂપ હોય તે તથા બીજાં પણ જે શાસ્ત્ર-વિરુદ્ધ વચનો છે તે બધાં ગર્વિત વચનમાં જ ગર્ભિત છે. ૯૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com