________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
વર્ણસંયુક્ત, અણુ અને સ્કંધના ભેદથી બે પ્રકારે છે. તેમાં જે એકાકી-અવિભાગી પરમાણુ તેને અણુ કહીએ. અનેક અણુ મળીને સ્કંધ થાય છે તેને સ્કંધ કહીએ. અથવા પુદ્ગલદ્રવ્યના છ ભેદ
૧-ચૂલસ્કૂલ- કાષ્ઠ-પાષણ આદિ જે છેદાયા ભેદાયા પછી મળે નહિ તેને સ્થૂલસ્કૂલ પુદ્ગલ કહીએ. ૨-સ્કૂલ-જે જળ, દૂધ, તેલ આદિ દ્રવ પદાર્થોની જેમ છિન્નભિન્ન થવા છતાં ફરી તુરત જ મળી શકે તેને સ્થૂલ કહીએ. ૩-સ્તુલસૂક્ષ્મ-આતાપ, ચાંદની, અંધકારાદિ આંખથી દેખાય પણ પકડાય નહિ તેને ચૂલસૂક્ષ્મ કહીએ. ૪-સૂક્ષ્મણૂલ- જે શબ્દ ગંધાદિ આંખથી ન દેખાય પણ અન્ય ઈન્દ્રિયથી જણાય તેને સૂક્ષ્મણૂલ કહીએ, પ-સૂક્ષ્મ-જે ઘણા પરમાણુઓનો સ્કંધ છે પણ ઈન્દ્રિયગમ્ય નથી તેને સૂક્ષ્મ કહીએ. ૬-સૂક્ષ્મસૂક્ષ્મ- અતિ સૂક્ષ્મ સ્કંધ અથવા પરમાણુને સૂક્ષ્મ-સૂક્ષ્મ કહીએ. આ રીતે આ લોકમાં ઘણો ફેલાવો આ પુદ્ગલ દ્રવ્યનો છે.
(૨) ઘર્મદ્રવ્ય- જીવ અને પુલોને ગતિ કરવામાં સહકારીગુણસંયુક્ત લોકપ્રમાણ એક દ્રવ્ય છે.
(૩) અધર્મદ્રવ્ય- જીવ અને પુદ્ગલને સ્થિતિ કરવામાં સહકારીગુણસંયુક્ત લોકપ્રમાણ એક દ્રવ્ય છે.
(૪)આકાશદ્રવ્ય- સર્વ દ્રવ્યોને અવગાહનહેતુત્વલક્ષણસંયુક્ત લોકાલોકપ્રમાણ એક દ્રવ્ય છે. જ્યાં સર્વ દ્રવ્યો પ્રાપ્ત થાય તેને લોક અને જ્યાં કેવળ એક આકાશ જ છે તેને અલોક કહીએ. બન્નેની સત્તા જુદી નથી તેથી એક દ્રવ્ય છે.
(૫) કાળદ્રવ્ય- સર્વ દ્રવ્યોને વર્તનાહેતુત્વલક્ષણસંયુક્ત લોકના એકેક પ્રદેશ ઉપર સ્થિત એકેક પ્રદેશમાત્ર અસંખ્યાત દ્રવ્ય છે. તેના પરિણામના નિમિત્તે સમય, આવલી આદિ વ્યવહાર કાળ છે. આ રીતે જીવદ્રવ્ય સહિત છ દ્રવ્ય જાણવા. કાળને બહુ પ્રદેશ નથી તેથી કાળ સિવાય પંચાસ્તિકાય કહીએ. એમાં જીવતત્ત્વ અને પુદ્ગલ-અજીવતત્ત્વના પરસ્પર સંબંધથી અન્ય પાંચ તત્ત્વ થાય છે.
૩. આસ્રવતત્ત્વ- જીવના રાગાદિ પરિણામથી યોગ દ્વારા આવતા પુદ્ગલના આગમનને આસ્રવતત્વ કહીએ.
૪. બંધતત્ત્વ-જીવને અશુદ્ધતાના નિમિત્તે આવેલાં પુદ્ગલોનું જ્ઞાનાવરણાદિરૂપ પોતાની સ્થિતિ અને રસસંયુક્ત પ્રદેશો સાથે સબંધરૂપ થવું તે બંધતત્ત્વ કહીએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com