________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
નિમ: જ્ઞાનમય: પરમપર્વે સવૈવ નન્વતિ' અર્થ:સિદ્ધ ભગવાનને કાંઈ કામ કરવાનું બાકી રહ્યું નથી, સકલ પદાર્થોને પોતાના જ્ઞાનમાં વિષય કરનાર અથવા સકળ પદાર્થોથી વિરક્ત, પરમ સુખમાં નિમગ્ન અને કેવળજ્ઞાનસહિત મોક્ષમાં નિરંતર આનંદ કરે છે.
ભાવાર્થ- સંસારના જીવોને અનેક કાર્ય કરવાની અભિલાષા છે તેથી કૃતકૃત્ય નથી, સિદ્ધ ભગવાનને કાંઈ કામ કરવાનું બાકી રહ્યું નથી તેથી કૃતકૃત્ય છે. જગતના જીવ મોક્ષથી વિમુખ છે અને સિદ્ધ ભગવાન મોક્ષમાં બિરાજમાન છે. સંસારના જીવો વિષય વિકાર સહિત છે, સિદ્ધ ભગવાન વિષય વિકાર રહિત છે. સંસારના જીવ અનેક શરીરો ધારણ કરીને દુઃખી થઈ રહ્યા છે, સિદ્ધ ભગવાન મન, વચન, કાયાથી રહિત છે. ઇત્યાદિ અનંત ગુણો સહિત સિદ્ધ ભગવાન છે. ૨૨૪.
જૈન નીતિ અથવા નય-વિવેક્ષા
एकेनाकर्षन्ती श्लथयन्ती वस्तुतत्त्वमितरेण। अन्तेन जयति जैनी नीतिर्मन्थाननेत्रमिव गोपी।। २२५ ।।
અન્વયાર્થઃ- [મસ્થાનનેત્રમ] રવઈ–વલોણાને ખેંચનાર [ોપી રૂવ] ગોવાલણની જેમ [મૈની નીતિ:] જિનેન્દ્રદેવની સ્યાદ્વાદનીતિ અથવા નિશ્ચય-વ્યવહારરૂપ નીતિ [વસ્તુતત્ત્વમ ] વસ્તુના સ્વરૂપને [ ૧] એક સમ્યગ્દર્શનથી [ કાવર્ષન્તી] પોતા તરફ ખેંચે છે, [ફતરે ] બીજાથી અર્થાત્ સમ્યજ્ઞાનથી [ સ્નથયન્તી] શિથિલ કરે છે અને [કન્તન] અન્તિમ અર્થાત્ સમ્યકારિત્રથી સિદ્ધરૂપ કાર્યને ઉત્પન્ન કરવાથી [નયતિ] સર્વની ઉપર વર્તે છે. (અથવા બીજો અન્વયાર્થ)
અન્વયાર્થઃ- [મન્થાનેત્રમ] રવઈને ખેંચનાર [ ગોપી રૂ] ગોવાલણની જેમ જે [ વસ્તુતત્ત્વમ્] વસ્તુના સ્વરૂપની [gફ્રેન સન્તન] એક અંતથી અર્થાત્ દ્રવ્યાર્થિકનયથી [સાફર્ષન્તી] આકર્ષણ કરે છે–ખેચે છે, અને વળી [ફતરેT] બીજા પર્યાયાર્થિકનયથી [ સ્ત્રથયન્તી ] શિથિલ કરે છે, તે [ નૈનીનીતિ: ] જૈનમતની ન્યાયપદ્ધતિ [ Mતિ] જયવંતી છે.
ટીકા:- મન્થાનનેત્રે નવી રૂવ નૈની નીતિ: વસ્તુતત્ત્વ ઇન સાકર્ષક્ની રૂતરેખ શ્નથયન્તી મત્તેન નયતિ અર્થ-વલોણામાં રવઈ ખેંચનાર ગોવાલણની જેમ જિનેન્દ્ર ભગવાનની જે નીતિ અર્થાત્ વિવેક્ષા છે તે વસ્તુરૂપને એક નય-વિવક્ષાથી ખેચતી, બીજી નયવિવક્ષાથી ઢીલી મૂકતી અંતે અર્થાત્ બન્ને વિવેક્ષાઓથી જયવંત રહે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com