________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ:- [૪] આ ગ્રંથમાં[ નિશ્ર્વયં] નિશ્ચયનયને [મૂતાર્થ] ભૂતાર્થ અને [ વ્યવહાર] વ્યવહારનયને[ અમૂતાર્થ ] અભૂતાર્થ [ વર્ણયન્તિ ] વર્ણન કરે છે. [ પ્રાય: ] ઘણું કરીને [ મૂતાર્થવોષવિમુવ: ] ભૂતાર્થ અર્થાત્ નિશ્ચયનયના જ્ઞાનથી વિરુદ્ધ જે અભિપ્રાય છે, તે [ સર્વોવિ] બધોય [ સંસાર] સંસાર સ્વરૂપ છે.
ટીકા:- ‘જ્ઞ નિશ્વયં ભૂતાર્થ વ્યવહાર અમૂતાર્થ વર્ણયન્તિ' આચાર્ય આ બન્ને નયોમાં નિશ્ચયનયને ભૂતાર્થ કહે છે અને વ્યવહારનયને અભૂતાર્થ કહે છે.
ભાવાર્થ:- ભૂતાર્થ નામ સત્યાર્થનું છે. ભૂત એટલે જે પદાર્થમાં હોય તે અને અર્થ એટલે ‘ભાવ.’ તેને જે પ્રકાશે, બીજી કલ્પના ન કરે તેને ‘ભૂતાર્થ’ કહીએ. જેમ કે સત્યવાદી સત્ય જ કહે, કલ્પના કરીને કહે નહિ. તે જ બતાવીએ છીએ. જોકે જીવ અને પુદ્ગલનો અનાદિથી એકક્ષેત્રાવગાહ સંબંધ છે, બન્ને મળેલા જેવા દેખાય છે તોપણ નિશ્ચયનય આત્મદ્રવ્યને શરીરાદિ ૫૨ દ્રવ્યોથી ભિન્ન જ પ્રકાશે છે. તે જ ભિન્નતા મુક્તિ દશામાં પ્રગટ થાય છે. માટે નિશ્ચયનય સત્યાર્થ છે.
વળી અભૂતાર્થ નામ અસત્યાર્થનું છે. અભૂત એટલે જે પદાર્થમાં ન હોય તે અર્થ એટલે ભાવ, તેને જે પ્રકાશે અનેક કલ્પના કરે તેને અભૂતાર્થ કહીએ. જેમ જૂઠું બોલનાર માણસ જરાપણ કારણનું બહાનું- છળ પામે તો અનેક કલ્પના કરી તાદશ કરી બતાવે. તે જ કહીએ છીએ. જોકે જીવ અને પુદ્ગલની સત્તા ભિન્ન છે, સ્વભાવ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે તોપણ એકક્ષેત્રાવગાહ સંબંધનું છળ (ાનું) પ્રાપ્ત કરીને ‘આત્મદ્રવ્યને શરીરાદિ પરદ્રવ્યથી એકપણું કહે છે,'' મુક્ત દશામાં પ્રગટ ભિન્નતા થાય છે એમ વ્યવહારનય પોતે જ ભિન્ન ભિન્ન પ્રકાશવાને તૈયાર થાય છે. તેથી વ્યવહારનય અસત્યાર્થ છે. પ્રાય: મૂતાર્થવોધમુદ્ધ: સર્વોપિ સંસાર:— અતિશયપણે સત્યાર્થ જે નિશ્ચયનય તેના જાણપણાથી ઉલટો જે પરિણામ (અભિપ્રાય ) તે બધોય સંસાર સ્વરૂપ છે.
"
ભાવાર્થ:- સંસાર કોઈ જુદો પદાર્થ નથી. આ આત્માના પરિણામ નિશ્ચયનયના શ્રદ્ધાનથી વિમુખ થઈ, શરીરાદિ પરદ્રવ્ય સાથે એકત્વ શ્રદ્ધાનરૂપ પ્રવર્તે તેનું જ નામ સંસાર. તેથી જે સંસારથી મુક્ત થવા ઈચ્છે છે તેણે શુદ્ઘનયની સન્મુખ રહેવું યોગ્ય છે.
તે જ બતાવીએ છીએ. જેમ ઘણા મનુષ્ય કાદવના સંયોગથી જેનું નિર્મળપણું આચ્છાદિત થયું છે એવા સમળ જળને જ પીએ છે અને કોઈ પોતાના હાથવડે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com