________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- “સામાયિશ્રિતાનાં ખેષાં શ્રાવવાનાં સમસ્તસાવદ્યયોગપરિહારત્ વરિત્રમોહંચ ૩યે પિ મહાવ્રત મવતિ '–અર્થ-સામાયિક કરનાર શ્રાવકને તે સમયે સમસ્ત પાંચે પાપોનો ત્યાગ હોવાથી પ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીય કર્મનો ઉદય હોવા છતાં પણ મહાવ્રત જ છે.
ભાવાર્થ:- શ્રાવક જે વખતે સામાયિક કરી રહ્યો છે ત્યારે ખરી રીતે તેની તે વખતની અવસ્થા મુનિ સમાન જ છે. તેના પરિણામોમાં અને મુનિના પરિણામોમાં વિશેષ તફાવત નથી. ભેદ ફક્ત એટલો જ છે કે મુનિ દિગંબર છે અને શ્રાવક વસ્ત્રસહિત છે. મુનિ મહારાજે પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ત્યાગ કરી દીધો છે અને શ્રાવકે હજી સુધી પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ત્યાગ કર્યો નથી. ૧૫૦.
હવે બીજું શિક્ષાવ્રત પ્રોષધોપવાસનું સ્વરૂપ કહે છે:
सामायिकसंस्कारं प्रतिदिनमारोपितं स्थिरीकर्तुम्। पक्षार्द्धयोर्द्वयोरपि कर्तव्योऽवश्यमुपवासः ।। १५१ ।।
અન્વયાર્થ- [પ્રતિનિ] દરરોજ [ સારોપિd] અંગીકાર કરેલ [સામાયિસંરં ] સામાયિકરૂપ સંસ્કાર [થિરીવર્તન ] સ્થિર કરવાને માટે [ કયો:] અને [ પક્ષાદ્ધયો.] પક્ષના અર્ધભાગમાં અર્થાત્ અષ્ટમી અને ચતુર્દશીના દિવસે [૩પવાસ:] ઉપવાસ [અવશ્યમfu] અવશ્ય જ [ સૂર્તવ્ય:] કરવો જોઈએ.
ટીકાઃ- “પ્રતિવિનં સારોપિત સામાયિક સંરં સ્થિરીકર્તમ્ યોરપિ પક્ષાદ્ધયો: અવશ્ય ઉપવાસ: વર્તવ્ય:'–અર્થ-પ્રતિદિન અંગીકાર કરેલ સામાયિક વ્રતની દઢતા કરવા માટે બન્ને પખવાડિયાના અર્ધા ભાગમાં જે ચૌદશ અને આઠમ છે તેમાં અવશ્ય ઉપવાસ કરવો જોઈએ.
ભાવાર્થ- આ પ્રોષધ ઉપવાસ દરેક મહિનામાં ચાર વાર કરવામાં આવે છે, અર્થાત્ દરેક ચૌદશ અને આઠમના દિવસે તે કરવામાં આવે છે. તેનાથી સામાયિક કરવાની ભાવના દઢ રહે અર્થાત્ વિષયકષાયોમાંથી ચિત્ત સદા વિરક્ત જ રહે છે તેથી પ્રત્યેક ગૃહસ્થ સામાયિક અવશ્ય કરવું જોઈએ. ૧૫૧.
પ્રોષધોપવાસની વિધિ मुक्तसमस्तारम्भः प्रोषधदिनपूर्ववासरस्यार्द्ध। उपवासं गृह्णीयान्ममत्वमपहाय देहादौ।। १५२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com