SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય [ વિતરણમ] વિતરણ એટલે કે બીજાને દેવું તે યત્નાત્] સાવધાનીથી [પરિદરે] છોડી દેવું જોઈએ. ટીકા- ‘હિંસાયા: ઉપરનાં ૉિ ધેનુ વિષ હુતાશન સીન રવાના વાક્છાવીના પરિદર'–અર્થ:-હિંસા કરવાના સાધન છરી, વિષ, અગ્નિ, હળ, તરવાર, બાણ વગેરેનું દેવું પ્રયત્નથી દૂર કરે અર્થાત્ બીજાને આપે નહિ, એને જ હિંસાદાન અર્થદંડત્યાગવ્રત કહે છે. જે વસ્તુઓ આપવાથી હિંસા થતી હોય તે વસ્તુઓનો ઉપયોગ પોતાના માટે કરી શકે છે પરંતુ બીજાઓને કદીપણ ન આપવી. ૧૪૪. દુઃશ્રુત્તિ અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપ रागादिवर्द्धनानां दुष्टकथानामबोधबहुलानाम्। न कदाचन कुर्वीत श्रवणार्जनशिक्षणादीनि।।१४५।। અન્વયાર્થઃ- [ રવિવર્તુનાનાં] રાગ, દ્વેષ, મોહાદિને વધારનાર તથા [અવયવહુનાનાન] ઘણા અંશે અજ્ઞાનથી ભરેલી [ પુણવથાનાન] દુષ્ટ કથાઓનું [અવર્ણનશિક્ષણાવનિ] સાંભળવું, ધારવું, શીખવું આદિ [વવાન] કોઈ સમયે, કદીપણ [ ન વર્તીત ] કરવું ન જોઈએ. ટીકાઃ- મવાધ (મિથ્યાત્વ) વહુનીનાં રવિવર્લ્ડનાનાં ટુકથાનાં શ્રવર્નનશિક્ષTલીનિ ન વાચન ર્વીત'–અર્થ-મિથ્યાત્વસહિત રાગદ્વેષ, વેરભાવ, મોહ, મદાદિ વધારનાર કુકથાઓનું શ્રવણ તથા નવી કથાઓ બનાવવી, વાંચવી વગેરે કદી પણ ન કરવું. એને જ દુઃશ્રુતિ અનર્થદંડત્યાગવત કહે છે. જે કથાઓ સાંભળવાથી, વાંચવાથી અને શિખવવાથી વિષયાદિની વૃદ્ધિ થાય, મોહ વધે અને પોતાના તથા પરના પરિણામથી ચિત્તને સંકલેશ થાય એવી રાજકથા, ચોરકથા, ભોજનકથા, સ્ત્રીકથા ઇત્યાદિ કથાઓ કહેવી નહિ. ૧૪૫. મહાહિંસાનું કારણ અને અનેક અનર્થ ઉત્પન્ન કરનાર જુગારનો પણ ત્યાગ કરવો જોઈએ: सर्वानर्थप्रथमं मथनं शौचस्य सद्म मायायाः। दूरात्परिहरणीयं चौर्यासत्यास्पदं द्यूतम्।। १४६ ।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy