SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૧૫૬ ૪૯ સ્વયં સતત નિરહિ: સદનું જ્ઞાનં સવા વિન્તતિ ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ભાવાર્થ - સુખદુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ ભોગવટો છે. તે પગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે. ૧૫૬. શ્લોક-૧૫૬ ઉપર પ્રવચન ૧૫૬ (કળશ), વેદના ભય. (શાર્દૂનવિવ્રીહિત). एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः । नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५६।। [નિર્મ-૩રિત-વેદ્ય-વ-વનાત ] “અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી (અર્થાત્ વેદ્ય અને વેદક અભેદ જ હોય છે.” કહે છે? કે, આત્મા વેદનાર અને આત્માની વેદના. અનુભવનું વેદન કરનાર અને એનું અનુભવનું વેદન. વેદ્ય-વેદક અભેદમાં હોય છે. આહાહા...! છે? આહાહા.! ઈ ઓલામાં આવી ગયું, નહિ? ૨૧૬ ગાથા. વેદ્ય-વેદક. પરનો વેદ્ય-વેદક નથી, આત્માનો વે-વેદક છે. આહાહા.! ૨૧૬. વેદ્ય (એટલે) વેદવા યોગ્ય અને વેદક અભેદ હોય છે. વેદવા યોગ્ય પણ આનંદ અને વેદવાવાળો આત્મા. આહાહા...! “(એવી વસ્તુસ્થિતિના બળથી)...” શું કહ્યું? ભગવાન આત્મા વેદનાર અને વેદન યોગ્ય પોતાની અનુભવ દશા. આનંદની દશા વેદવા યોગ્ય અને વેદવાવાળો આત્મા. ખરેખર તો બધી પર્યાય છે. સમજાણું? આહા...! નિર્મળપર્યાય વેદવાવાળી અને નિર્મળ પર્યાય વેદવા યોગ્ય. આત્મા તો ધ્રુવ છે. અપેક્ષાથી કહે છે. આહાહા...! એ તો આવી ગયું છે, નહિ? અલિંગગ્રહણનો વીસમો બોલ. આત્મા વેદનમાં પોતાની પર્યાયને વેચે છે તે આત્મા (છે). એ આત્મા વેદનમાં ધ્રુવને વેદતો નથી. અરે.! આવી વાતું હવે. અલિંગગ્રહણમાં આવ્યું હતું ને? વસ્તુ અખંડાનંદ પ્રભુ, તેની દૃષ્ટિ થઈ તો વેદવા યોગ્ય દશા વીતરાગી થઈ. શાંતિ અને અકષાયી પરિણતિ થઈ તે વેદવા યોગ્ય અને વેદવાવાળો એ આત્મા. એ તો અભેદની અભેદની વાત છે. આહાહા..! વેદવાવાળો આત્મા અને રાગ દવા યોગ્ય, એ વસ્તુમાં નથી. આહાહા...! વેદવાવાળો આત્મા અને રોગ વેદવા યોગ્ય, એ આત્મામાં નથી. રાગ વેચવા લાયક અને વેદવાવાળો આત્મા, એવું આત્મામાં
SR No.008398
Book TitleSamaysara Siddhi 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2008
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy