________________
૧૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭
( શ્લોક-૧૩૮)
(મન્ટાન્તિા ) आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः । एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति।।१३८।।
હવે આ અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે, જે કાવ્ય દ્વારા આચાર્યદેવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલાં રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છે -
શ્લોકાર્ધઃ- (શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે) [ સ્થા: ] હે અંધ પ્રાણીઓ! [ સંસારત્ ] અનાદિ સંસારથી માંડીને [ પ્રતિપ ] પર્યાયે પર્યાયે [ મ ગ ] આ રાગી જીવો [ નિત્યમHI: ] સદાય મત્ત વર્તતા થકા [ રિમનું સુતા: ] જે પદમાં સૂતા છે-ઊંઘે છે [ તત્ ] તે પદ અર્થાત્ સ્થાન [ ૩પમ્ પર્વ ] અપદ છે-અપદ છે, તમારું સ્થાન નથી.) [ વિવુધ્ધધ્વમૂ ] એમ તમે સમજો. બે વાર કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે) [ રૂત: ગત ત ] આ તરફ આવો–આ તરફ આવો, (અહીં નિવાસ કરો.) [ પમ્ રૂદ્રમ્ ૩ ] તમારું પદ આ છે-આ છે [ 2 ] જ્યાં [ શુદ્ધઃ શુદ્ધ: ચૈતન્યધાતુ: ] શુદ્ધશુદ્ધ ચૈતન્યધાતુ | સ્વ-ર-મરતઃ ] નિજ રસની અતિશયતાને લીધે [ સ્થાયિમાવત્વમ્ તિ] સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છે-અવિનાશી છે. (અહીં “શુદ્ધ' શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.)
ભાવાર્થ - જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડે-સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા'; તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિંત સૂતાં છે-સ્થિત છે, તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે-ગાડે છે-સાવધાન