________________
શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર
સમયસાર સિદ્ધિ
(અધ્યાત્મયુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શ્રી સમયસાર' ઉપર પ્રવચન)
(ભાગ-૭)
– ૬ – નિર્જરા અધિકાર
अब प्रविशति निर्जरा।
(શાર્દૂલવિક્રીડિત) रागाद्यास्त्रवरोधतो निजधुरां धृत्वा परः संवरः । कर्मागामि समस्तभेव भरतो दूरान्निरुन्धन् स्थितः । प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा। ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्छति।।१३३।।
રાગાદિકના રોધથી, નવો બંધ હણી સંત;
પૂર્વ ઉદયમાં સમ રહે, નમું નિર્જરાવંત. પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે હવે નિર્જરા પ્રવેશ કરે છે. અહીં તત્ત્વોનું નૃત્ય છે; તેથી જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે.