________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭૦
તોત્તે૨મું પર્વ
પદ્મપુરાણ જેની ચેષ્ટા સુંદર છે તે આખાય રાજપરિવારને રમાડવા લાગ્યો. વારંવા૨ મંદોદરી પ્રત્યે સ્નેહ બતાવવા લાગ્યો. તેના વદનરૂપ ચંદ્રને નીરખતાં રાવણનાં લોચન તૃપ્ત ન થયાં. મંદોદરી રાવણને કહેતી હતી કે હું એક ક્ષણમાત્ર પણ તમને છોડીશ નહિ. હું મનોહર ! સદાય તમારી સાથે જ રહીશ, જેમ વેલીઓ બાહુબલીનાં સર્વ અંગે વીંટળાઈ વળી હતી તેમ વળગી રહીશ. આપ યુદ્ધમાં વિજય મેળવીને જલદી આવો, હું રત્નોના ચૂર્ણથી ચોક પૂરીશ અને તમારાં ચરણ ધોઈ અર્ધ્ય આપીશ, પ્રભુની મોટી પૂજા કરાવીશ. પ્રેમથી તેનું ચિત્ત કાયર છે, અત્યંત પ્રેમનાં વચનો કહેતાં કહેતાં રાત્રિ પૂરી થઈ ગઈ. કૂકડા બોલ્યા, નક્ષત્રોનું તેજ ઘટી ગયું, સંધ્યાલાલ થઈ, ભગવાનનાં ચૈત્યાલયોમાં મનોહર ગીતધ્વનિ થવા લાગ્યો, સૂર્ય ઉદય સન્મુખ થયો, સર્વ દિશાઓમાં ઉદ્યોત કરતો, પ્રલયકાળના અગ્નિમંડળ સમાન આકાર પ્રભાતસમયે તેણે ધારણ કર્યો. ત્યારે બધી રાણીઓ પતિને છોડતી ઉદાસ થવા લાગી. રાવણે સૌને આશ્વાસન આપ્યું, ગંભીર વાજિંત્રો વાગ્યાં, શંખધ્વનિ થયા, રાવણની આજ્ઞાથી યુદ્ધમાં વિચક્ષણ સુભટો અહંકાર ધરતા અત્યંત ઉદ્ધત હર્ષભર્યા નગ૨માંથી નીકળ્યા. હાથી, રથ કે તુરંગ પર ચડયા, ખડ્ગ, ધનુષ, ગદા, બરછી ઇત્યાદિ અનેક આયુધો ધારણ કરી, જેમના ઉપર ચામર ઢોળાતા, છત્ર ફરતા, એવા દેવ જેવા સ્વરૂપવાન વિદ્યાધરોના અધિપતિ યોદ્ધાઓ, શીઘ્ર કાર્ય કરનારા, શ્રેષ્ઠ ઋદ્ધિના ધા યુદ્ધ માટે તૈયાર થયા. તે દિવસે નગરની કમળનયની સ્ત્રીઓ કરુણાભાવથી દુઃખરૂપ થઈ જેમને જોતાં દુર્જનનું ચિત્ત પણ દયાળુ થાય. કેટલાક સુભટો ઘરમાંથી યુદ્ધ માટે નીકળ્યા અને સ્ત્રીઓ સાથે આવવા લાગી તેને કહેવા લાગ્યા, હૈ મુગ્ધ! ઘેર જાવ, અમે આનંદપૂર્વક જઈએ છીએ. કોઈ સ્ત્રીના પતિ ચાલ્યા જાય છે તેમની પાછળ જઈ કહેતી હતી કે હું કંથ! તમારું ઉત્તરાસન લ્યો, ત્યારે પતિ સામે આવી લેવા લાગ્યા. કેવી છે મૃગનયનીઓ ? જેને પતિનાં મુખ જોવાની લાલસા છે. કેટલીક પ્રાણવલ્લભા પતિને દષ્ટિથી અદશ્ય થતા જોઈ સખીઓ સહિત મૂર્છા ખાઈને પડી. કેટલીક પતિ પાસેથી પાછી આવી મૌન બની શય્યામાં પડી, જાણે કે લાકડાની પૂતળી જ છે. કેટલાક શૂરવીરો શ્રાવકવ્રતના ધારક પીઠ પાછળ પોતાની સ્ત્રીને જોવા લાગ્યા અને આગળ દેવાંગનાઓને દેખવા લાગ્યા. જે સામંત અણુવ્રતના ધારક છે તે દેવલોકના અધિકારી છે. અને જે સામંતો પહેલાં પૂર્ણિમાના ચંદ્રસમાન સૌમ્ય વદનવાળા હતા તે યુદ્ધનું આગમન થતાં કાળસમાન ક્રૂર આકારવાળા થઈ ગયા. શિર પર ટોપ મૂકી, બખ્તર પહેરી, શસ્ત્ર લઈ તેજસ્વી જણાવા લાગ્યા.
પછી ચતુરંગ સેના સાથે ધનુષ, છત્રાદિક પૂર્ણ મહાતેજસ્વી મારીચ યુદ્ધનો અભિલાષી આવ્યો, પછી વિમળચંદ્ર આવ્યો અને સુનંદ, આનંદ, નંદ ઇત્યાદિ હજારો રાજા આવ્યા. તે વિધાથી નિર્માયિત દિવ્ય રથ પર ચડયા. અગ્નિ જેવી પ્રભાવાળા જાણે કે અગ્નિકુમા૨ દેવ જ છે. કેટલાક તીક્ષ્ણ શસ્ત્રોથી સંપૂર્ણ હિમવાન પર્વત સમાન હાથી પર સર્વ દિશાઓને આચ્છાદતા આવ્યા જેમ વીજળી સાથે મેઘમાળા આવે. કેટલાક શ્રેષ્ઠતુરંગો પર ચડી, પાંચેય હથિયા૨ો સહિત તરત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com