________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આઠમું પર્વ
- ૧૦૩ અને નરકની નકલ કરી હતી. અનેક મનુષ્યોને તે નરકમાં રાખ્યા હતા. રાવણે તે નરકના રક્ષકોને, જે યમના ચાકરો હતા તેમને મારીને નસાડી મૂક્યા. ત્યારપછી સૂર્યરજ, રક્ષરજ આદિ મનુષ્યોને તે દુઃખસાગરમાંથી બહાર કાઢયા. રાવણ દીનોનો બંધુ અને દુષ્ટોને દંડ દેનાર છે. તેણે આખા નરકસ્થાનનો જ નાશ થૈ. દુશ્મનનું સૈન્ય આવ્યાના આ સમાચાર સાંભળીને યમ ભારે આડંબર સહિત યુદ્ધ કરવા આવ્યો. પર્વત જેવા અનેક ગજ મદઝરતા, ભયાનક શબ્દ કરતા, અનેક આભૂષણયુક્ત, તેમના પર બેસીને મહાન યોદ્ધાઓ લડવા આવ્યા. અશ્વો પવનસરખી ગતિવાળા, ચમરની જેમ પૂંછડી હલાવતા, આભૂષણો સહિત, તેમની પીઠ પર સુભટો બેસીને આવ્યા. સૂર્યના રથ જેવા અનેક ધજાઓની પંક્તિથી શોભાયમાન રથોમાં મોટા મોટા સામંતો બખર પહેરી, શસ્ત્રો સજીને બેઠા, ઇત્યાદિ મહાસેના સાથે યમ આવ્યો. વિભીષણે યમની આખીય સેના પોતાનાં બાણોથી પાછી ધકેલી. રણમાં પ્રવીણ રથમાં આરૂઢ વિભીષણનાં બાણોથી યમના ચાકરો ભાગ્યો ત્યારે યમ કિંકરોના ભાગવાથી અને નારકીઓને છોડાવવાથી મહા દૂર થઈને વિભીષણ ઉપર રથમાં બેસીને ચડી આવ્યો. ધ્વજા ઊંચી રાખીને, કાળા સર્પ સમાન કુટિલ કેશવાળો, ભૂકુટિ ચઢાવી, લાલ નેત્ર કરી, જગતરૂપ ઇંધનને ભસ્મ કરવાને અગ્નિ સમાન, મોટા મોટા સામંતોથી વીંટળાયેલો યમ પોતે યુદ્ધ કરવાને આવ્યો. રાવણ યમને જોઈને વિભીષણને પાછળ રાખીને પોતે રણસંગ્રામમાં આગળ આવ્યો. યમના પ્રતાપથી સર્વ રાક્ષસસેના ભયભીત થઈ રાવણની પાછળ આવી ગઈ. યમના આડંબર અનેક છે. રાવણે પોતાનાં બાણ યમ પર ફેંક્યાં. આ બન્નેનાં બાણોથી આકાશ આચ્છાદિત થઈ ગયું, જેમ મેઘના સમૂહથી આકાશ વ્યાસ થાય તેમ. રાવણે યમના સારથિ ઉપર પ્રહાર કર્યો. તે સારથિ ભૂમિ પર પડયો અને એક બાણ યમને લાવ્યું તેથી યમ પણ રથ ઉપરથી ગબડી પડયો. રાવણને મહાબળવાન જોઈને યમ દક્ષિણ દિશાનું દિગ્ધાલપણું છોડીને ભાગ્યો. પોતાના કુટુંબ, પરિજન, પુરજન સહિત તે રથનૂપુર પહોંચ્યો અને ઇન્દ્રને નમસ્કાર કરીને વિનંતી કરી કે “હે દેવ ! આપ કૃપા કરો અથવા કોપ કરો, નોકરી રાખો કે લઈ લ્યો, આપની ઇચ્છા હોય તેમ કરો. આ યમપણું મારાથી થઈ શકશે નહિ. માલીના ભાઈ સુમાલીનો પૌત્ર દશાનન મહાન યોદ્ધો છે. તેણે પહેલાં વૈશ્રવણને જીતી લીધો. તે તો મુનિ થયા. મને પણ તેણે જીતી લીધો, તેથી ભાગીને હું આપની નિકટ આવ્યો છું. તેનું શરીર વીરરસથી બન્યું છે, તે મહાત્મા છે, જેઠ મહિનાના મધ્યાહ્નના સૂર્ય સમાન તેની સામે કદી જોઈ શકાતું નથી.” આ વાત સાંભળીને રથનૂપૂરનો રાજા ઇન્દ્ર સંગ્રામ કરવા તૈયાર થયો. મંત્રીઓએ તેને ના પાડી. મંત્રીઓ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણનાર છે એટલે ઇન્દ્ર સમજીને બેઠો રહ્યો. ઇન્દ્ર યમનો જમાઈ છે, તેણે યમને આશ્વાસન આપ્યું કે તમે મહાન યોદ્ધા છો, તમારામાં વીરતાની ખામી નથી, પરંતુ રાવણ પ્રચંડ પરાક્રમી છે. માટે તમે ચિંતા ન કરો, સુખપૂર્વક અહીં જ રહો, એમ કહીને એનું ખૂબ સન્માન કરીને રાજા ઇન્દ્ર રાજ્યમાં ગયા અને કામભોગમાં મગ્ન બની ગયા. ઇન્દ્રને વિભૂતિનો ઘણો મદ છે. યમે તેને રાવણના ચરિત્રના જે જે સમાચાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com