________________
૩૮૪
કલશામૃત ભાગ-૬
અચેતનને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે. અચેતનમાં રાગ ને શરીર બધું અચેતન આવી ગયું. આહાહા. અને તેના સંબંધીનું તેટલું જ જ્ઞાન એ શેય તેટલું છે માટે તેટલું અહીંયાં જ્ઞાન સ્વપપ્રકાશક એને લઈને પ્રગટ્યું એમેય નથી. તે સમયનો એનો સ્વપપ્રકાશકનું જેટલું સામર્થ્ય છે એથી તે પ્રગટ્યું છે તે સ્વ છે. આહાહા.. પકડાય એટલું પકડવું, બાપુ! આહાહા.. તારી લીલા તો અપાર છે. આહાહા..! આ કોઈ પંડિતાઈની ચીજ નથી. આહાહા...! આ તો અંતરના સ્વભાવના નાદની ચીજ છે. હું આહા!
મુમુક્ષુ :- જુદી જાતનું ભણતર છે.
ઉત્તર - જુદી જાતનું છે. વાત સાચી. આહાહા...! એટલી વાત કાને પડે છે એ ભાગ્યશાળી છે ને આવી વાત, પરમાત્માના શ્રીમુખે નીકળેલી વાત છે. આહા.. સમજાણું કાંઈ જુઓ ધનપાળજી'! ક્યાંય “મુંબઈમાં પણ નહોતું ને ક્યાંય નહોતું. આહાહા.! પ્રભુ! તું કોણ છો? કયાં છો? કેવડો છો? સમયે સમયે તું કેવડો છો? કે પર જે શેય છે તેટલું જ અહીં જ્ઞાન થાય અને સ્વનું જ્ઞાન થાય તેવડો તે સમયમાં તેવડી તારી પર્યાય છે, તારાથી છે. આહાહા..!
મુમુક્ષુ - આજે તત્ત્વને બહુ લડાવ્યું, ગુરુદેવા
ઉત્તર :- આ શ્લોક એવો છે. અહીં તો વધારે તો ચુંબનમાંથી આવ્યું. ચુંબન છે ને? એણે અર્થ કરી નાખ્યો છે–અશુદ્ધપણું. પણ ચુંબનનો અર્થ સ્પર્શવું છે. જે ત્રીજી ગાથામાં કહ્યું ને? કે, પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને સ્પર્શે છે પણ પરને સ્પર્શતો નથી. એનો આ બધો વિસ્તાર છે. આહાહા...!
આ તો જ્ઞાનસ્વરૂપી ભગવાન જ્ઞાનમાં ઠરે એની વાતું છે, બાપા! આહાહા...! જેવી જેની સત્તા એટલે હોવાપણે છે તેમાં તે ઠરે. આહાહા...! સમજાણું કાંઈ? એ વસ્તુ છે. આહાહા...!
જીવવસ્તુમાં એકદ્રવ્યરૂપે પરિણમે છે એમ શોભતું નથી.” રાગરૂપે આત્મા પરિણમે છે કે આત્મા રાગરૂપે થાય છે કે શેય આત્માપણે થાય છે, એમ શોભતું નથી. આહાહા...! “જીવ સમસ્ત શેયને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે, શેયવસ્તુ શેયરૂપ છે; કોઈ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ છોડીને અન્ય દ્રવ્યરૂપ તો નથી થયું. એવો અનુભવ કોને છે તે કહે છે-' આહાહા...!
“શુદ્ધદ્રવ્યનિરુપાર્ષિતમતે: “સમસ્ત વિકલ્પથી રહિત શુદ્ધ ચેતનામાત્ર જીવવસ્તુના...” નિરુપ' એટલે પ્રત્યક્ષ અનુભવ...... આહાહા! જોયું? કથન છે એનું વાચ્ય છે અને અહીં લીધું પછી. નિરુપ' અને વાચ્ય છે એને નિરૂપ' શબ્દથી કહ્યું. આહાહા...! એ તો “પ્રત્યક્ષ અનુભવમાં સ્થાપ્યું છે બુદ્ધિનું સર્વસ્વ જેણે એવા જીવને.” આ હોય છે. આવો અનુભવ એને હોય છે, એમ કહે છે. આહાહા. જેણે ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી, એમાં બુદ્ધિને સ્થાપીને જ્ઞાનનો અનુભવ કર્યો અને આ વાત હોય છે. આહાહા..! અજ્ઞાનીને એ વાત હોતી નથી. ચાહે તો સાધુ થયો હોય, પંચ મહાવ્રત પાળતો હોય પણ અજ્ઞાની છે એને