________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧ મું
૬૧૭
અને કોઇ દશા થવાથી કેવલજ્ઞાન તથારૂપપણે થાય, અથવા કહી શકાય ?' એ પ્રશ્નનો ઉત્તર લખાવવા માટે શ્રી ડુંગરને કહેશો.
આઠ દિવસ ખીને ઉત્તર લખવામાં અડચણ નથી, પણ સાંગોપાંગ, યથાર્થ અને વિસ્તારથી લખાવવો. સદ્વિચારવાનને આ પ્રશ્ન હિતકારી છે. સર્વ મુમુક્ષુ ભાઇઓને ય
૮૨૧
મુંબઈ, પોષ સુદ ૩, રવિ, ૧૯૫૪
ત્રંબકલાલે ક્ષમા ઇચ્છી જણાવ્યું છે કે સહજ ભાવથી વ્યાવહારિક વાત લખવાનું બન્યું છે, તે વિષે આપ ખેદ નિવૃત્ત કરશો. અત્રે તે ખેદ નથી, પણ તમારી દૃષ્ટિમાં તે વાત રહેશે, એટલે વ્યાવહારિક વૃત્તિ રહેશે ત્યાં સુધી આત્મહિતને બળવાન પ્રતિબંધ છે, એમ જાણો, અને સ્વપ્ને પણ તે પ્રતિબંધમાં ન પ્રવર્તાય તેનો લક્ષ રાખજો.
અમે આ ભલામણ આપી છે, તે પર તમે યથાશક્તિ પૂર્ણ વિચાર કરી જોજો, અને તે વૃત્તિનું મૂળ અંતરથી સર્વથા નિવૃત્ત કરી નાખશો. નહીં તો સમાગમનો લાભ પ્રાપ્ત થવો અસંભવિત છે. આ વાત શિથિલવૃત્તિથી નહીં પણ ઉત્સાહવૃત્તિથી માથે ચડાવવા યોગ્ય છે.
મગનલાલે માર્ગાનુસારીથી કેવળપર્યંત દશા વિષેનાં પ્રશ્નનો ઉત્તર લખ્યો હતો તે ઉત્તર વાંચ્યો છે, તે ઉત્તર શક્તિના પ્રમાણમાં છે પણ સદ્બુદ્ધિથી લખ્યો છે.
મણિલાલે લખ્યું કે ગોશળિયાને ‘આત્મસિદ્ધિ' ગ્રંથ ઘેર ન આપતાં ઘણું ખોટું લાગ્યું વગેરે લખ્યું તે લખવાનું કારણ નહોતું. અમે એ ગ્રંથ માટે કાંઇ રાગર્દષ્ટિ કે મોદૅષ્ટિ પર જઇ ડુંગરને અથવા બીજાને આપવામાં પ્રતિબંધ કરીએ છીએ, એમ હોવા યોગ્ય નથી. એ ગ્રંથનો હાલ બીજો ઉતારો કરવા પ્રવૃત્તિ ન કરવી.
૮૨૨
આણંદ, પોષ વદ ૧૧, મંગળ, ૧૯૫૪
આજે સવારે અત્રે આવવું થયું છે. લીમડીવાળા ભાઇ કેશવલાલનું પણ આજે અત્રે આવવું થયું છે. ભાઇ કેશવલાલે તમ વગેરે પ્રત્યે આવવા વિષે તાર કરેલો તે સહજ ભાવથી હતો, તમ વગેરે કોઇ નથી આવી શક્યા એમ વિચારી આ પ્રસંગે ચિત્તમાં ખેદ ન પામશો. તમારા લખેલા પત્ર તથા પત્તું મળ્યાં છે. કોઇ એક હેતુવિશેષથી સમાગમ પ્રત્યે હાલ વિશેષ ઉદાસીનપણું વર્ત્યા કરતું હતું અને તે હમણાં યોગ્ય છે એમ લાગવાથી હાલ સમાગમ મુમુક્ષુઓનો ઓછો થાય એમ વૃત્તિ હતી. મુનિઓને જણાવશો કે વિહાર કરવામાં હાલ અપ્રવૃત્તિ ન કરશો, કેમકે હાલ તરતમાં ઘણું કરીને સમાગમ નહીં થાય. 'પંચાસ્તિકાય' ગ્રંથ લક્ષ દઇ વિચારશો.
܀܀܀܀܀
૮૨૩
આણંદ, પોષ વદ ૧૩, ગુરુ. ૧૯૫૪
મંગળવારે સવારે અત્રે આવવું થયું હતું. ઘણું કરી આવતીકાલે સવારે અત્રેથી વિદાય થવાનું થશે. મોરબી જવાનો સંભવ છે.
સર્વ મુમુક્ષુ બાઇઓ, ભાઇઓને સ્વરૂપસ્મરણ કહેશો.
શ્રી સોમાગના વિદ્યમાનપણામાં કંઇ આગળથી જણાવવું થતું, અને હાલ તેમ નથી બન્યું એવી કંઇ પણ લોકદૃષ્ટિમાં જવું યોગ્ય નથી.
અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઇ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે.
લિ રાયચંદ્ર
܀܀܀܀܀