________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા,
ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ ૧૦ એકાકી વિચરતો વળી સ્મશાનમાં.
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો-
અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ ૧૧ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં,
સરસ અન્ન નહીં મનને પ્રસન્નભાવ જો;
રજકણ કેરિનિ વૈમાનિક દેવની,
સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમોહનો,
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો;
શ્રેણી સંપકતી કરીને આકૃહતા.
અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ ૧૩
મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો;
અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ,
પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ ૧૪
ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતો આત્યંતિક નાશ જો
સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહુ શુદ્ધતા,
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો;
તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે,
આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ ૧૬
મન, વચન, કાયા ને કર્મની વર્ગણા,
છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો;
એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું.
મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ૧૭
એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા,
પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય,
અગુરુલધુ. અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ ૧૮ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી.
ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સ્થિત જો;
૫૫