SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૭૩ નીચેના બોલો પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે વિશેષ વિચારપરિણતિ કરવા યોગ્ય છેઃ (૧) કેવળજ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે ? (૨) આ ભરતક્ષેત્રમાં આ કાળે તેનો સંભવ હોઈ શકે કે કેમ ? (૩) કેવળજ્ઞાનીને વિષે કેવા પ્રકારની આત્મસ્થિતિ હોય ? (૪) સમ્યક્દર્શન, સમ્યક્જ્ઞાન અને કેવળજ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હોવા યોગ્ય છે ? (૫) સમ્યક્દર્શનવાન પુરુષની આત્મસ્થિતિ કેવી હોય ? તમારે તથા શ્રી ડુંગરે ઉપર જણાવેલ બોલ પર યથાશક્તિ વિશેષ વિચાર કરવા યોગ્ય છે. તે સંબંધી પત્ર વાટે તમારાથી લખાવાયોગ્ય લખશો. હાલ અત્રે ઉપાધિનું કેટલુંક ઓછાપણું છે. એ જ વિનંતિ. ૬૧૬ શ્રીમદ્ વીતરાગને નમસ્કાર શુભેચ્છાસંપન્ન ભાઈ અંબાલાલ તથા ભાઈ ત્રિભોવન પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ, આત સ્વસ્થ થથાયોગ્ય. મુંબઈ, અસાડ વદ ૨, રવ, ૧૯૫૧ ભાઈ અંબાલાલનાં લખેલાં પત્ર-પત્તાં તથા ભાઈ ત્રિભોવનનું લખેલું પત્ર મળ્યું છે. અમુક આત્મદશાના કારણથી વિશેષ કરી લખવા, જણાવવાનું બનતું નથી. તેથી કોઈ મુમુક્ષુને થવા યોગ્ય લાભમાં મારા તરફથી જે વિલંબ થાય છે, તે વિલંબ નિવૃત્ત કરવાની વૃત્તિ થાય છે, પણ ઉદયના કોઈ યોગથી તેમ જ હજુ સુધી વર્તવું બને છે. અસાડ વદ ૨ ઉપર આ ક્ષેત્રથી થોડા વખત માટે નિવર્તવાનું બની શકે એવો સંભવ હતો, તે લગભગમાં બીજાં કાર્યનો ઉદય પ્રાપ્ત થવાથી લગભગ અસાડ વદ ૦)) સુધી સ્થિરતા થવા સંભવ છે. અત્રેથી નીકળતાં વવાણિયે જતાં સુધીમાં વચ્ચે એકાદ બે દિવસની સ્થિતિ કરવાનું વૃત્તિમાં યથાયોગ્ય લાગતું નથી. વવાણિયે કેટલા દિવસની સ્થિતિ સંભવે છે, તે અત્યારે વિચારમાં આવી શક્યું નથી, પણ ભાદ્રપદ સુદિ દશમની લગભગે અત્રે આવવાનાં કંઈ કારણ સંભવે અને તેથી એમ લાગે છે કે વવાણિયા શ્રાવણ સુદ ૧૫ સુધી અથવા શ્રાવણ વદ ૧૦ સુધી રહેવું થાય. વળતી વખતે શ્રાવણ વદ દશમે વાણિયેથી નીકળવાનું થાય તો ભાદ્રપદ સુદ દશમ સુધી વચ્ચે કોઈ 'નિવૃત્તિક્ષેત્ર' રોકાવાનું બની શકે. હાલ તે સંબંધી વધારે વિચારવું અશક્ય છે. હાલ આટલું વિચારમાં આવે છે કે જો કોઈ નિવૃત્તિક્ષેત્રે રોકાવાનું થાય તોપણ મુમુક્ષુભાઈઓથી વધારે પ્રસંગ કરવાનું મારાથી બનવું અશક્ય છે. જોકે આ વાત પર હજુ વિશેષ વિચાર થવા સંભવે છે. સત્યમાગમ અને સત્શાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહ્યું છે. જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય ત્યાં સુધી સત્પુરુષનો કહેલો માર્ગ પરિણામ પામવો કઠણ છે. આ વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે. નિવૃત્તિક્ષેત્રે રોકાવા સંબંધી વિચાર વધારે સ્પષ્ટતાથી જણાવવાનું બનશે તો કરીશ. હાલ આ વાત માત્ર પ્રસંગે તમને જાણવા અર્થે લખી છે; જે વિચાર અસ્પષ્ટ હોવાથી બીજા મુમુક્ષભાઈઓને પણ જણાવવા યોગ્ય નથી. તમને જણાવવામાં પણ કોઈ રાગ હેતુ નથી. એ જ વિનંતિ. આત સ્વ થાયોગ્ય.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy