________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૦ મું
3.93
ઉદાસીનપણે લોકધર્મસંબંધી અને કર્મસંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો; જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદિની ઇચ્છા હોય તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી.
અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે, તથાપિ તેમ કરવા વિષે ‘ઈશ્વરેચ્છા’ જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુભાઈઓનો સમાગમ બને તેટલો કરવો, જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું, સત્પુરુષનાં ચરિત્રો અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ) જીવોનાં વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે, એવા (વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથનો પરિચય રાખવો, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો.
અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં, પરસ્પર મુમુક્ષુભાઇઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં; નિવૃત્તિનાં ક્ષેત્રનો પ્રસંગ ન્યુન થવા દેવો યોગ્ય નહીં; કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં; એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિનાં ક્ષેત્રને અને પ્રવૃત્તિનાં ઉદાસીનપણાને આરાધવાં.
જે પ્રવૃત્તિ અત્ર હૃદયમાં છે, તે બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય એવી છે, વૈદવાયોગ્ય છે માટે તેને અનુસરીએ છીએ; તથાપિ અવ્યાબાધ સ્થિતિને વિષે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે.
આજે આ આઠમું પત્તું લખીએ છીએ. તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયાં છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ, તો પછી તમ સર્વેને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. અમે અલ્પારંભને, અલ્પપરિગ્રહને વ્યવહારમાં બેઠાં પ્રારબ્ધ નિવૃત્તિરૂપે ઇચ્છીએ છીએ, મહત્ આરંભ, અને મહત્ પરિગ્રહમાં પડતા નથી. તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્રાવ્ય નથી. અત્યારે સમાગમ થવાના જોગનો નિયમિત વખત લખી શકાય એમ સૂઝતું નથી. એ જ વિનંતી.
܀܀܀܀܀
૪૫૦
“જીવ તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે,
મુંબઈ, જેઠ સુદ ૧૫, મોમ, ૧૯૪૯
ચિત્ત તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે." દયારામ
પૂર્વે જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાનીપુરુષો સિદ્ધિજોગવાળા થઈ ગયા છે, એવું જે લોકકથન છે તે સાચું છે કે ખોટું, એમ આપનું પ્રશ્ન છે, અને સાચું સંભવે છે, એમ આપનો અભિપ્રાય છે. સાક્ષાત્ જોવામાં આવતું નથી, એ વિચારરૂપ જિજ્ઞાસા છે.
કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગીપુરુષોને વિષે પણ સિદ્ધિજોગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિજોગાદિને અજ્ઞાનજોંગે સ્ફુરણા આપવાથી તે પ્રવર્તે છે.
સમ્યક્દૃષ્ટિપુરુષો કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાનીપુરુષોને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને ક્વચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે, તેને તે સ્ફુરણા વિષે પ્રાયે ઇચ્છા થતી નથી; અને ઘણું કરી જ્યારે ઇચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે; અને જો તેવી ઇચ્છા થઈ તો સમ્યક્ત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાથે પાંચમે, છઠ્ઠું ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિજોગનો વિશેષ સંભવ થતો જાય છે; અને