________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૩ મું
૨૧૩
એક ભોગી થવાનો બોધ કરે છે. એક યોગી થવાનો બોધ કરે છે. એ બેમાંથી કોને સમ્મત કરીશું ? બન્ને શા માટે બોધ કરે છે ? બન્ને કોને બોધ કરે છે ?
કોના પ્રેરવાથી કરે છે ?
કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે ?
એનાં કારણો શું છે ?
તેનો સાક્ષી કોણ છે ?
તમે શું વાંછો છો ?
તે ક્યાંથી મળશે વા શામાં છે ?
તે કોણ મેળવશે ?
ક્યાં થઈને લાવશો ?
લાવવાનું કોણ શીખવશે ?
વા શીખ્યા છીએ ?
શીખ્યા છો તો ક્યાંથી શીખ્યા છો ?
અપુનવૃત્તિરૂપે શીખ્યા છો ?
નહીં તો શિક્ષણ મિથ્યા કરશે.
જીવન શું છે ?
જીવ શું છે ?
તમે શું છો ?
તમારી ઇચ્છાપૂર્વક કાં નથી થતું ?
તે કેમ કરી શકશો ?
બાધતા પ્રિય છે કે નિરાબાધતા પ્રિય છે ?
તે ક્યાં ક્યાં કેમ કેમ છે ?
એનો નિર્ણય કરો.
અંતરમાં સુખ છે.
બારમાં નથી.
સત્ય કહું છું.
!!
હૈ જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું.
સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી નહીં મળે.
અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ.
સ્થિતિ રહેવી બહુ વિકટ છે; નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એનો દૃઢ ઉપયોગ રાખવો જોઈએ.
એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઈશ નહીં. નિર્ભય થઈશ.
હૈ જીવ ! તું ભૂલ મા. વખતે વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં, કોઈથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભુલ થાય છે. તે ન કર,
܀܀܀܀܀