________________
૧૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૫ જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ૧ સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ;
ભવ છેવટની છે એ દશા, રામ ઘામ આવીને વસ્યા. ર
૧૦૮
હે જીવ, તું ભ્રમા મા, તને હિત કહું છું.
મુંબઈ, ફાગણ, ૧૯૪૬
અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં.
અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ.
આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ, મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. ભ્રમા મા, તને હિત કહું છું.
આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાયે ન કર.
આ તેનું છે એમ માની ન બેસ.
આ માટે આમ કરવું છે એ ભવિષ્યનિર્ણય ન કરી રાખ.
આ માટે આમ ન થયું હોત તો સુખ થાત એમ સ્મરણ ન કર. આટલું આ પ્રમાણે હોય તો સારું એમ આગ્રહ ન કરી રાખ. આણે મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભારતાં ન શીખ. આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ.
આ મને અશુભ નિમિત્ત છે એવો વિકલ્પ ન કર.
આ મને શુભ નિમિત્ત છે એવી દૃઢતા માની ન બેસ.
આ ન હોત તો હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ.
હું
પૂર્વકર્મ બળવાન છે, માટે આ બધો પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં.
પુરુષાર્થનો જય ન થયો એવી નિરાશા સ્મરીશ નહીં.
બીજાના દોષ તને બંધન છે એમ માનીશ નહીં.
તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભુલાવ.
તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે.
તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.
એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. અે મૂઢ, એમ ન કર.-
એ તને તેં હિત કહ્યું.
અંતરમાં સુખ છે.
જગતમાં કોઈ એવું પુસ્તક વા લેખ વા કોઈ એવો સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતો કે આ સુખનો માર્ગ છે. વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઊગવું; એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે.