________________
http://www.ShrimadRajchandra.org
૧૩૨
શ્રીમદ્ રાજચંદ્ર
પ્ર- પરંતુ સમર્થ વિદ્વાનો પોતાની મૃષા વાતને પણ દૃષ્ટાંતાદિકથી સૈદ્ધાંતિક કરી દે છે; એથી એ ત્રુટી શકે નહીં; પણ સત્ય કેમ કહેવાય ?
ઉ- પણ આને કંઈ મૃષા કથવાનું પ્રયોજન નહોતું, અને પળભર એમ માનો કે, એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તો પછી જગતકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપ્યો ? નામબોળક પુત્રને જન્મ આપવા
શું પ્રયોજન હતું ? તેમ વળી એ સત્પુરુષો સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હોત તો એમ કહેવાથી તેઓને કંઈ હાનિ નહોતી.
શિક્ષાપાઠ ૧૦૭. જિનેશ્વરની વાણી
(મનહર છંદ)
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ૧
શિક્ષાપાઠ ૧૦૮, પૂર્ણમાલિકા મંગલ
(ઉપજાતિ)
તપોપધ્યાને રવિરૂપ થાય,
એ સાધીને સૌમ રહી સહાય;
મહાન તે મંગળ પંક્તિ પામે,
આવે પછી તે બુધના પ્રણામે. ૧
નિગ્રંથ જ્ઞાના ગુરુ સિદ્ધિ દાતા,
કાં તો સ્વયં શુક્ર પપૂર્ણ ખ્યાતી;
ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે,
સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે, ૨
Audio
Audio