SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. http://www.ShrimadRajchandra.org ( ૧૦ ) છાપ્યું છે. ખાસ જરૂર વિના કે હકીકત જણાવવા સિવાય ફૂટનોટ આપી નથી. સળંગ એક સરખા ટાઈપમાં આખું વચનામૃત છપાયું છે. અનુક્રમાંક સ્વતંત્ર રીતે નવા આપવામાં આવ્યા છે. શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની બીજી આવૃત્તિના આંક આ આવૃત્તિના આંકની ડાબી બાજુએ [ ] આવા કૌંસમાં આપવામાં આવ્યા છે. જ્યાં એવા આંક નથી તે આખું અપ્રગટ સાહિત્ય જાણવું. જ ભૂત ફેંગ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની બીજી આવૃત્તિનો ક્રમ સામાન્ય રીતે સાચવી, લખાણો વયવર્ષના અનુક્રમે મૂક્યાં છે. જ્યાં મિતિમાં પ્રમાણભૂત ફેર જણાયો ત્યાં મિતિ પ્રમાણેના સ્થાને લખાણ મૂક્યું છે. દરેક લખાણના મથાળે પ્રાપ્ત મિતિ આપવામાં આવી છે. વિસ્તૃત અનુક્રમણિકા તથા પરિશિષ્ટો આપી બને તેટલો ગ્રંથનો અભ્યાસ સુગમ કરવા પ્રયત્ન કર્યો છે. પરિશિષ્ટોમાં આ ગ્રંથમાં આવતાં અન્ય ગ્રંથોમાંનાં ઉદ્ધરણો અને તેનાં મૂળ સ્થાન; પત્રો વિષે વિશેષ માહિતી; પારિભાષિક અને કઠણ શબ્દોના અર્થ; ગ્રંથનામ, સ્થળ, વિશેષનામ અને વિષયની સૂચિ પણ આપવામાં તા. ૧૯૫૬, સુગમતા કરશે. આવી છે. આમ આ આવૃત્તિ સંબંધીની વિગત પુસ્તકને સમજવામાં સુગમતા કરશે. અવધાન સમયનાં કાવ્યો, સ્ત્રીનીતિબોધ, અન્ય માસિકોમાં છપાયેલ કાવ્યો એમ સોળ વર્ષની ઉંમર પહેલાંનાં કાવ્યો આદિ જુદા ‘સુબોધસંગ્રહ’ ગ્રંથરૂપે આપવાની ભાવનાથી આ સંગ્રહમાં મૂક્યાં નથી. અવધાન સંબંધી લખાયેલ એક પત્ર (આંક ૧૮) આ ગ્રંથમાં આપ્યો છે. આત્મસિદ્ધિશાસ્ત્રનું અંગ્રેજી, મરાઠી અને સંસ્કૃતમાં ભાષાંતર થયું છે. RAT આ આત્મસાધન આજે આપણને પ્રાપ્ત થાય છે એ સંગ્રહી શ્રી અંબાલાલભાઈએ આજના સાધકવર્ગ પર પરમ ઉપકાર કર્યો છે. રામ Wat અનુભવી પરમશ્રેય સાધી ગયા છે. શ્રીમદજીના પરિચયમાં આવેલ મુમુક્ષુઓમાં શ્રી અંબાલાલભાઇ, શ્રી જૂઠાભાઇ, શ્રી સૌભાગ્યભાઇ, મુનિશ્રી લઘુરાજસ્વામી જેવા આત્માઓ શ્રીમદજીની આશ્રયભક્તિથી આત્મસાક્ષાત્કાર અનુભવી પરમશ્રેય સાધી ગયા છે. એવા પરમાક્તિવંત આત્માઓના નિમિત્તે ઉદગમ પામેલ આ સાહિત્ય આજે આપણને આત્માર્થ સાધવામાં પરમ નિમિત્તરૂપ બનો એ પ્રાર્થના છે. નિમિત્તે ઉદ્ગમ પાલ આત્મ सहजात्म स्वरूप सद्गुरु श्रीमान् राजचन्द्र શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ તથા એક શ્રી મણિલાલ રેવાશંકર ઝવેરીએ આ ગ્રંથ जन्म છપાવવાની આપેલ અનુમતિ માટે આભાર માનવામાં આવે છે.) कार्तिक शद १५ આ સત્સાધનના પ્રકાશનમાં જે જે ભાઈઓએ તન, મન, ધન અને વચનથી ઉલ્લાસપૂર્વક સાથ આપ્યો છે તે સર્વને એ આત્મશ્રેયનું કારણ બનો. Ta રાબાદ (સૌરાષ્ટ્ર) શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસ્થાપક શ્રી જયંતિ દલાલે આ ગ્રંથ છાપવામાં અંગત કાળજી ને રસ લીધો શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસ્થાપક શ્રી જયંતિ પ્રકાશન છે જેથી આટલી સુંદર રીતે આ ગ્રંથ પ્રકાશન થયું છે. ૧૯૪૬ આ આત્મશ્રેયસાધક ગ્રંથનો વિનય અને વિવેકપૂર્વક ઉપયોગ કરવાની ભલામણ અસ્થાને નહીં ગણાય. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે. અગાસ; વાયા આણંદ સં. ૨૦૦૭, અસાડ વદ ૧૨, સોમ તા. ૩૦-૭-૫૧ ભિન્ન ભિન્ન અવસ્થા લિ. બ્રહ્મચારી ગોવર્ધનદાસ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy