SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ( ૯ ) સંગ્રહની વિગતઃ- આ સંગ્રહમાં (૧) શ્રીમદજીના મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પત્રો; (૨) સ્વતંત્ર કાવ્યો, (૩) મોક્ષમાળા, ભાવનાબોધ, આત્મસિદ્ધિશાસ્ત્ર એ ત્રણ સ્વતંત્ર ગ્રંથ (૪) મુનિસમાગમ, પ્રતિમાસિદ્ધિ આદિ સ્વતંત્ર લેખો; (૫) પુષ્પમાળા, બોધવચન, વચનામૃત, મહાનીતિ આદિ સ્વતંત્ર બોધવચનમાળાઓ; (૬) પંચાસ્તિકાય ગ્રન્થનું ગુર્જર ભાષાંતર; (૭) શ્રી રત્નકદંડ શ્રાવકાચારમાંથી ત્રણ ભાવનાઓનો અનુવાદ તથા શ્રેણી જ્ઞાન, દ્રવ્યસંગ્રહ, દશવૈકાલિક આદિ ગ્રંથોમાંથી કેટલીક ગાથાઓનું ભાષાંતર, આનંદઘન ચોવીશીમાંથી કેટલાક સ્તવનના અર્થ; (૮) વેદાંત અને જૈન દર્શન સંબંધી નોંધો; (૯) સં. ૧૯૪૬ની રોજનીશી આદિ શ્રીમદજીનું લખાણ આંક ૧ થી ૯૫૫, પાન ૬૬૦ સુધીમાં આપવામાં આવેલ છે. આંક ૭૧૮માં આત્મસિદ્ધિશાસ્ત્રની ગાથાઓનું આપેલ ટૂંકું વિવેચન શ્રી અંબાલાલભાઇએ કરેલ છે, જે શ્રીમદજી જોઈ ગયા છે. વિવેચન સાથે શ્રીમદજીએ પોતે લખેલ કોઈ કોઈ ગાથાઓનું વિસ્તૃત વિવેચન પણ આપવામાં આવ્યું છે. પાન ૬૬૧થી પાન ૭૮૫ સુધીમાં ઉપદેશનોંધ, ઉપદેશછાયા, વ્યાખ્યાનસાર ૧ અને ર આપવામાં આવેલ છે. આ લખાણ શ્રીમદજીના ઉપદેશ તથા વ્યાખ્યાનોની મુમુક્ષુઓએ લીધેલ નોંધોનું છે. ઉપદેશછાયા જેવો વિભાગ શ્રીમદજીની દૃષ્ટિતળે આવી ગયાનું સાંભળ્યું છે. ૨ ૯૫ ૧૯૫૬ tere પાન ૭૮૬ થી ૮૩૩ સુધીમાં શ્રીમદજીના પોતાના હસ્તાક્ષરે લખાયેલ ત્રણ હાથનોંધો (ડાયરીઓ) આપવામાં કામ ક બાઇક કાર નવા સ આવી છે. આ આવૃત્તિ સંબંધી સામાન્ય વિગતઃ- ૧. ર. 3. ૪. ૫. ૬. ૭. ૮. Inte 2) ક થમ ગાય મ આવૃત્તિમાં પ્રથમની આવૃત્તિઓમાં નહીં પ્રગટ કરેલ એવું ઘણું સાહિત્ય ઉમેરવામાં આવ્યું છે. ૨ મૂળ લખાણમાં-શ્રીમદજીનું પોતાનું લખાણ-આધારભૂત જણાયું એટલું લીધું છે. પ્રથમની આવૃત્તિઓમાં મૂળ લખાણરૂપે છપાયેલ પણ ખરી રીતે ઉપદેશનોંધ હોવાથી તે લખાણ ઉપદેશનોંધમાં મૂક્યું છે. શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની બીજી આવૃત્તિમાં ત્રણે હાથનોંધોનાં લખાણો-લખાણો પરથી મિતિનું ૨ અનુમાન તે ન કરી તે તે વર્ષના ક્રમમાં છાપવામાં આવેલ છે. આ આવૃત્તિમાં એમ કર્યું નથી. પણ પ્રથમની આવૃત્તિ પ્રમાણે ત્રણે હાથનોંધો સળંગ આપી છે.યરુપ સદ્ગુરુ ગમ છાપવામાં આવેલ છે. આ श्रीमान् राजचन्द्र પ્રથમની આવૃત્તિઓમાં કેટલાક સ્થળે એક જ લખાણના ભાગો કરી જુદા જુદા આંક નીચે આપવામાં આવ્યા છે. તેમ કેટલાક લખાણો જુદાં હોવા છતાં એક આંક નીચે આપવામાં આવેલ છે. પણ આ આવૃત્તિમાં બધાં ( તે મૂળ આધારને અનુસરી એક લખાણ એક આંક નીચે આપ્યું છે. મૂળ લખાણમાં આવતાં વ્યક્તિઓનાં નામ ઘણું કરી રહેવા દેવામાં આવ્યાં છે. મૂળ સ્થિતિમાં જ લખાણ છપાય એવો લક્ષ રાખવામાં આવ્યો છે. તેથી અગાઉની આવૃત્તિઓનાં લખાણોથી કેટલેક સ્થળે ન્યૂનાધિક જણાશે. પણ તે સુધારા વધારા મૂળના આધારે જ કરવામાં આવ્યા છે. પૂર્વાપર સંબંધ જળવાઇ રહે એમ લક્ષ તેમ એ કાઢી નાંખેલ લખાણ માટે કોઇ વ્યક્તિગત લખાણ લેવામાં આવ્યું છે. રાખી વ્યક્તિગત અને વ્યાવહારિક લખાણો મૂકવામાં આવ્યા નથી. ભન્ન ભિન્ન અવસ્થા ચિહ્ન મૂકવામાં આવ્યું નથી. તેમ છતાં સામાન્ય ઉપકારક હોય એવું વાચકને સ્વતંત્ર રીતે વાંચવું, વિચારવું અને અભિપ્રાય બાંધવાનું સુગમ થાય એ માટે વાક્યો કે શબ્દો નીચે નથી લીટી દોરી કે નથી મોટા ટાઈપમાં લીધા. પણ મૂળ લખાણને આધારે
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy