________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ 10
બલભદ્ર રામ
વિદ્યાર્થી – શું રામ અને હનુમાન ભગવાન નથી? શિક્ષક - કોણ કહે છે કે તે ભગવાન નથી? તેમણે માંગતુંગી સિદ્ધક્ષેત્ર ઉપરથી
મુક્તિ પદ પ્રાપ્ત કર્યું છે અને સિદ્ધ-ભગવાનપણે શાશ્વત બિરાજમાન છે. આપણે નિર્વાણકાંડ ભાષામાં બોલીએ છીએ :રામ હણ્ સુગ્રીવ સુડીલ,
ગવગ વાખ્ય નીલ મહાનીલ; કોડિ નિન્યાણવ મુક્તિ પયાન,
તુંગીગિરિ વંદો ધરિ ધ્યાન. વિદ્યાર્થી - તો સુગ્રીવ વગેરે વાનર અને નલ નીલ વગેરે રીંછ પણ મોક્ષે ગયા
છે? તે પણ ભગવાન થઈ ગયા છે? શિક્ષક - હનુમાન, સુગ્રીવ વાનર નહોતા તેમજ નલ નીલ રીંછ નહોતા. તેઓ તો
સર્વાગ સુન્દર મહાપુરુષ હતા, જેમણે પોતાના જીવનમાં આત્મસાધના
કરીને વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હતી. વિદ્યાર્થી - તો પછી તેમને વાનરાદિ કેમ કહેવામાં આવે છે? શિક્ષક - તેમના વંશનું નામ વાનરાદિ વંશ હતું. એવી જ રીતે રાવણ કોઈ રાક્ષસ
થોડો જ હતો? તે તો રાક્ષસવંશી ત્રિખંડી રાજા હતો. વિદ્યાર્થી - લોકો કહે છે-તેને દશ મુખ હતા. શું એ વાત સાચી છે? શિક્ષક - શું દશ મુખવાળો પણ કોઈ માણસ હોય છે? તેનું નામ દશમુખ જરૂર
હતું. તેનું કારણ એ હતું કે જ્યારે તે બાળક હતો અને પારણામાં સૂતો
४४
Please inform us of any errors on rajesh@AtmaDharma.com