________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
થઈને આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરવો તે જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય છે.
પ્રશ્નકાર – અને સમ્યજ્ઞાન....?
પ્રવચનકા૨ – ર્તવ્યોથ્યવસાય: સવનેાન્તાત્મગુ તત્ત્વપુ ।
संशय विपर्ययानध्यवसाय विविक्तमात्मरुपं तत् ।।३५।।
શંકાકાર
સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી રહિત અને અનેકાન્તાત્મક પ્રયોજનભૂત તત્ત્વનું સાચું જ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે. આ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો પણ સદા પ્રયત્ન કરવો જોઈએ.
જિજ્ઞાસુ – સંશય, વિપર્યય અને અનધ્યવસાય કોને કહે છે?
પ્રવચનકાર – સંશય-પરસ્પર વિરુદ્ધ અનેક પડખાંને સ્પર્શ કરનાર જ્ઞાનને સંશય કહે છે. જેમ કે-શુભરાગ તે પુણ્ય છે કે ધર્મ છે અથવા આ છીપ છે કે ચાંદી ?
66
L
વિપર્યય વિપરીત એક પ્રકારનો નિશ્ચય કરનાર જ્ઞાનને વિપર્યય કહે છે. જેમ કે-શુભરાગને ધર્મ માનવો, છીપને ચાંદી જાણવી. અનધ્યવસાય આ શું છે” અથવા કાંઈક છે”- માત્ર એટલું જ અરુચિ અને અનિર્ણયપૂર્વક જાણવાને અનધ્યવસાય કહે છે. જેમ કે-આત્મા કાંઈક હશે! રસ્તે ચાલતા કોઈ કોમળ પદાર્થના સ્પર્શથી એમ જાણવું કે કાંઈક છે!
જિજ્ઞાસુ – હવે સમ્યક્ચારિત્ર વિષે પણ બતાવો. પ્રવચનકાર – ચારિત્રં મવતિ યત: સમસ્તસાવદ્યયોાપરિહરખાતા
सकल कषाय विमुक्तं विशदमुदासीनमात्मरुपं तत् ।।३६।।
સમસ્ત સાવધયોગથી રહિત, શુભાશુભ ભાવરૂપ કષાયભાવથી વિમુક્ત, જગતથી ઉદાસીનરૂપ નિર્મળ આત્મલીનતા જ સભ્યશ્ચારિત્ર છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને રત્નત્રય પણ કહે છે અને એ જ મુક્તિનો માર્ગ છે.
-તો શું રત્નત્રય ધારણ કરવાથી મુક્તિની જ પ્રાપ્તિ થાય, સ્વર્ગાદિક નહિ ?
૩૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com