SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગૃહીત, અગૃહીત મિથ્યાત્વ વિદ્યાર્થી - છ ઢાળામાં કોની કથા છે? શિક્ષક - મારી, તમારી અને બધાની કથા છે. તેમાં તો આ જીવના સંસારભ્રમણની કથા છે. આ જીવ અનંતકાળથી ચાર ગતિઓમાં ભ્રમણ કરી રહ્યો છે, પરંતુ એને કયાંય પણ સુખ મળ્યું નથી-પહેલી ઢાળમાં એ જ બતાવ્યું છે. વિદ્યાર્થી – એ સંસારમાં કેમ ભમી રહ્યો છે અને કયા કારણે દુઃખી છે? શિક્ષક - આ જ પ્રશ્નનો ઉત્તર તો બીજી ઢાળમાં આપ્યો છે – ઐસે મિથ્યા દગ-જ્ઞાન-ચર્ણ, વશ ભ્રમત ભરત દુઃખ જન્મ-મર્ણ. ૧. આ જીવ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને વશ થઈને આ રીતે સંસારમાં ભમતો થકો જન્મ-મરણનાં દુ:ખો ભોગવી રહ્યો છે. વિધાર્થી – આ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર શું છે? જેને કારણે બધા દુ:ખી છે. શિક્ષક - જીવાદિ સાત તત્ત્વોની વિપરીત શ્રદ્ધા જ મિથ્યાત્વ છે, એને જ મિથ્યાદર્શન પણ કહે છે. જીવ, અજીવ આદિ સાત તત્ત્વો જેના વિષે તમે પહેલાં શીખ્યા હતા ને, તે જેવાં છે તેવા તેને ન માનતાં વિપરીતપણે માનવાં તે જ વિપરીત શ્રદ્ધા છે. કહ્યું પણ છેજીવાદિ પ્રયોજનભૂત તત્ત્વ, સરદૈ તિનમાંહિ વિપર્યયત્વ ૨. વિદ્યાર્થી – આ મિથ્યાત્વના ચક્કરમાં આપણે કયારથી આવ્યા? શિક્ષક – એ તો અનાદિથી છે. જ્યારથી આપણે છીએ ત્યારથી તે છે પણ આપણે તેને બાહ્યકારણો વડે વધારે પુષ્ટ કરતા રહ્યા છીએ. એ બે પ્રકારનું છે. એક અગૃહીત મિથ્યાત્વ અને બીજાં ગૃહીત મિથ્યાત્વ. ૧૫ Please inform us of any errors on [email protected]
SR No.008326
Book TitleVitrag Vigyana Pathmala 3
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size617 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy