________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સુબોધચંદ્ર - જીવ-જંતુઓથી રહિત શુદ્ધ કરેલ અચિત્ત પદાર્થ જ પૂજાનાં પ્રાસુક દ્રવ્ય
છે. જેમ કે ન ઊગે તેવાં અનાજ, ચાવલાદિ, સૂકાં ફળ, બદામ વગેરે
અને શુદ્ધ ગળેલું જળ વગેરે. રાજૂ - દ્રવ્ય વિના શું પૂજા ન થઈ શકે? સુબોધચંદ્ર - કેમ નહિ? પૂજામાં તો ભાવોની જ મુખ્યતા છે. ગૃહસ્થાવસ્થામાં કોઈ
કોઈને દ્રવ્ય વિના જ પૂજાના ભાવ થાય છે. કોઈ કોઈને આઠ દ્રવ્યોથી પૂજાના ભાવ થાય છે અને કોઈ કોઈને એક-બે દ્રવ્યથી જ પૂજા
કરવાના ભાવ થાય છે. રાજા - એ તો સમજ્યો, પણ પૂજાની પૂરી વિધિ સમજમાં આવી નથી...... સુબોધચંદ્ર- તમે તો અહીં જ ઊભા ઊભા વાતોથી જ બધું સમજી લેવા ઈચ્છો
છો. કાલે સવારે મારી સાથે પૂજા કરવા મંદિરમાં આવજો. ત્યાં
જોઈને બધી વિધિ તમારી જાતે સમજમાં આવી જશે. રાજૂ - હા, હા, જરૂર આવીશ. મારે માત્ર વિધિ જ સમજવી નથી. હું પણ
દરરોજ પૂજા કરીશ. સુબોધચંદ્ર - તમારો વિચાર સારો છે. સાંસારિક આકુળતાઓ અને અશુભ ભાવથી
થોડો સમય બચવાને માટે આ પણ એક ઉપાય છે. પ્રશ્ન
૧. પૂજા કોને કહે છે? પૂજા કોની કરવામાં આવે છે? અને શા માટે? ૨. પૂજાનું ફળ શું છે? જ્ઞાની શ્રાવક ભગવાનની પૂજા શા માટે કરે છે? ૩. પ્રાસુક દ્રવ્ય કોને કહે છે? શું દ્રવ્ય વિના પણ પૂજા થઈ શકે?
૧. અધ્યાપકોએ ઉપરોક્ત પાઠ શીખવતી વખતે વિધાર્થીઓને યોગ્ય સમયે
મંદિરમાં લઈ જઈને પૂજાની પૂરી વિધિ પ્રયોગાત્મરૂપે સમજાવવી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com