________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૫
ત્રણ લોક
આચાર્ય શૂદ્ધપિચ્છ ઉમાસ્વામી
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) तत्त्वार्थसूत्रकर्तारं, गृद्धपिच्छोपलक्षितम् ।
वन्दे गणीन्द्रसंजातमुमास्वामीमुनीश्वरम् ।। ઓછામાં ઓછું લખીને વધારેમાં વધારે પ્રસિદ્ધિ મેળવનાર આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીની તત્ત્વાર્થસૂત્રથી જૈન સમાજ જેટલો વધારે પરિચિત છે, તેમના જીવન-પરિચયની બાબતમાં તેટલો અપરિચિત છે.
તેઓ કુન્દકુન્દાચાર્યના પટ્ટશિષ્ય હતા અને વિક્રમની પ્રથમ શતાબ્દીના અંતિમ કાળમાં તથા દ્વિતીય શતાબ્દીના પૂર્વાર્ધમાં ભારત-ભૂમિને પવિત્ર કરી રહ્યા હતા.
આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામી તે ગૌરવશાળી આચાર્યોમાંના એક છે કે જેમને સમગ્ર આચાર્ય-પરંપરામાં પૂર્ણ પ્રામાણિકતા અને સન્માન મળેલું છે. જે મહત્ત્વ વૈદિકોમાં ગીતાને, ઈસાઈયોમાં બાઈબલને અને મુસલમાનોમાં કુરાનને આપવામાં આવે છે, તે મહત્ત્વ જૈન પરંપરામાં વૃદ્ધપિચ્છ ઉમાસ્વામીના તત્ત્વાર્થસૂત્રને મળેલું છે. એનું બીજું નામ મોક્ષશાસ્ત્ર પણ છે. એ સંસ્કૃત ભાષાનો સર્વ પ્રથમ જૈન ગ્રંથ
પ્રસ્તુત ભાગ તત્ત્વાર્થસૂત્રના આધારે લખવામાં આવ્યો છે.
૨૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com