________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દષ્ટિ થાય, પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિ ધારણ કરીને વ્રતી
થાય. તેથી મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે. વિદ્યાર્થી પહેલાં તો પ્રથમાનુયોગનો અભ્યાસ કરવો જોઈએ? શિક્ષક- પહેલાં આનો અભ્યાસ કરવો, પછી તેનો-એવો નિયમ નથી. પોતાના
પરિણામોની સ્થિતિ જોઈને જેના અભ્યાસથી ધર્મમાં પોતાની રુચિ અને પ્રવૃત્તિ વધે તેનો જ અભ્યાસ કરવો અથવા કોઈવાર આનો, કોઈવાર તેનો, એમ ફેરફાર કરીને અભ્યાસ કરવો. કેટલાંક શાસ્ત્રોમાં તો બે-ત્રણ અનુયોગોની મિશ્ર પદ્ધતિથી પણ કથન હોય છે.
પ્રશ્ન
૧. અનુયોગ કોને કહે છે? તેના કેટલા પ્રકાર છે? ૨. પં. ટોડરમલજીના મત પ્રમાણે અનુયોગોનો અભ્યાસક્રમ કઈ રીતે છે? ૩. દ્રવ્યાનુયોગનો અભ્યાસ શા માટે આવશ્યક છે? તેમાં કઈ પદ્ધતિથી, કઈ
વાતનું વર્ણન હોય છે? ૪. ચરણાનુયોગ અને કરણનુયોગમાં શું તફાવત છે? ૫. પ્રત્યેક અનુયોગના ઓછામાં ઓછા બબ્બે ગ્રંથોનાં નામ લખો. ૬. ૫. ટોડરમલજીની બાબતમાં તમારા વિચારો વ્યક્ત કરો.
૨૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com