________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રણ લોક
વિદ્યાર્થી- ગુરુજી, આજે પ્રવચનમાં સાંભળ્યું હતું કે કુન્દકુન્દ્રાચાર્ય દેવ શ્રી સીમંધર
ભગવાનનાં દર્શન કરવા વિદેહક્ષેત્રમાં ગયા હતા. એ વિદેહક્ષેત્ર કયાં છે ? શિક્ષક- આ આખું વિશ્વ ત્રણ લોકમાં વહેંચાયેલું છે. જ્યાં હું અને તમે રહીએ
છીએ, એ મધ્યલોક છે. એમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે, તે એક બીજાને ઘેરીને રહેલા છે. બધાની મધ્યમાં જંબૂદ્વીપ છે. તેની ચારે બાજાએ લવણ સમુદ્ર છે. તેની ચારે બાજાએ ધાતકી ખંડ દ્વીપ છે, તેની પણ ચારે બાજાએ કાલોદધિ સમુદ્ર છે, પછી પુષ્કરવર દ્વીપ અને
પુષ્કરવર સમુદ્ર. એ જ પ્રમાણે અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. વિદ્યાર્થી- હું અને આપ તો જંબૂઢીપમાં રહીએ છીએ, પણ સીમંધર ભગવાન કયાં
રહે છે? શિક્ષક- તેઓ પણ જંબૂદ્વીપમાં જ રહે છે. પણ ભાઈ, જંબૂઢીપ સાવ નાનો ઓછો
જ છે? એ તો એક લાખ યોજન વિસ્તારવાળો છે. એની વચ્ચોવચ્ચ સુમેરુ નામનો ગોળ પર્વત છે તથા આ ગોળ જંબૂદ્વીપને વિભાજિત કરનાર છે મહા પર્વતો છે જે પૂર્વથી માંડીને પશ્ચિમ સુધી પથરાયેલા છે. તેમનાં નામ છે-હિમવન, મહાહિમવન, નિષધ, નીલ, રુકિમ અને
શિખરી. વિદ્યાર્થી- જો એ પૂર્વથી પશ્ચિમ સુધી પથરાયેલા છે તો જંબૂઢીપ સાત ભાગોમાં
વહેંચાઈ ગયો હોવો જોઈએ. શિક્ષક- હા, આ જ સાત ભાગોને સાત ક્ષેત્ર કહે છે, જેનાં નામ છે-ભરત,
હૈમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત. વિદ્યાર્થી- હવે સમજ્યો કે જંબૂઢીપનો જે વચ્ચેનો ભાગ છે તે વિદેહ ક્ષેત્ર છે. ત્યાં
જ સીમંધર ભગવાન છે. પણ આપણે..? શિક્ષક- તેની જ દક્ષિણે જે ભરતક્ષેત્ર છે ને, તેમાં જ આપણે રહીએ છીએ. અહીં
જ કુન્દકુન્દ જન્મ્યા હતા અને તેઓ વિદેહક્ષેત્રમાં ગયા હતા. વિદ્યાર્થી- શું આપણે પણ ત્યાં ન જઈ શકીએ?
૨૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com