________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ છઠ્ઠો
રક્ષાબંધન
શિક્ષક- બધા વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે કાલે રક્ષાબંધનનું મહાન પર્વ
છે. એ દિવસે અકંપનાચાર્ય આદિ સાતસો મુનિઓનો ઉપસર્ગ દૂર થયો હતો. તેથી એ દિવસ આપણા આનંદનો દિવસ છે. તેના નિમિત્તે કાલે
શાળામાં રજા રહેશે. વિધાર્થી– ગુરુદેવ! અકંપનાચાર્ય કોણ હતા? તેમના ઉપર કેવી જાતનો ઉપસર્ગ
આવ્યો હતો અને એ કેવી રીતે દૂર થયો? તે કૃપા કરીને સંક્ષેપમાં
સમજાવો. શિક્ષક- સાંભળો!
અકંપનાચાર્ય એક દિગંબર સંત હતા. તેમની સાથે સાતસો મુનિઓનો સંઘ હતો અને તેઓ તેમના આચાર્ય હતા. એક વખત તેઓ સંઘ સહિત વિહાર કરતા ઉજ્જૈન પહોંચ્યા. તે વખતે ઉજ્જૈનના રાજા શ્રીવર્મા હતા. તેમને ત્યાં ચાર મંત્રી હતા. જેમનાં નામ હતા- બલિ, નમુચિ, બૃહસ્પતિ અને પ્રલાદ.
જ્યારે રાજાએ મુનિઓના આગમનના સમાચાર સાંભળ્યા ત્યારે તે લાવ-લશ્કર સાથે તેમનાં દર્શન કરવા ગયો. ચારેય મંત્રી પણ સાથે હતા. બધા મુનિરાજ આત્મધ્યાનમાં મગ્ન હતા, તેથી પ્રવચન-ચર્ચાનો કાંઈ પ્રસંગ બન્યો નહિ.
મંત્રીઓ મુનિઓ પ્રત્યે શ્રદ્ધાળુ નહોતા. તેથી તેમણે રાજાને ઉશ્કેરવાની ઈચ્છા કરી અને કહ્યું, “મૌન મૂરર્વસ્ય ભૂષણમ” મૌન એ મૂર્ખતા છુપાવવાનો સારો ઉપાય છે. એમ વિચારીને જ સાધુઓ મૂંગા રહ્યા છે.
૨૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com