________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અને જીવને ઊંચ અથવા નીચ આચરણવાળા કુળમાં જન્મ થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને ગોત્રકર્મ કહે છે. એ પણ ઊંચ ગોત્ર અને નીચ ગોત્ર એ રીતે બે ભેદવાળું છે.
ચામુંડરાય– તો બસ, કર્મોના આઠ જ પ્રકાર છે?
આચાર્ય નૈમિચંદ્ર- આ આઠ ભેદમાં પણ પેટાભેદ છે, જેને પ્રકૃતિ કહે છે અને તે ૧૪૮ છે. બીજા પણ અનેક ભેદો દ્વારા તેને સમજી શકાય છે, (પણ ) અત્યારે આટલું જ પૂરતું છે. જો વિસ્તારથી જાણવાની ઈચ્છા હોય તો ગોમ્મટસાર કર્મકાંડ વગેરે ગ્રંથોનું અઘ્યયન કરવું જોઈએ.
પ્રશ્ન
૧. કર્મ કોને કહે છે? તે કેટલા પ્રકારનાં છે? નામ સહિત ગણાવો.
૨. શું કર્મ આત્માને બળજોરીથી વિકાર કરાવે છે?
૩. જ્ઞાનાવરણીય, મોહનીય અને આયુષ્ય કર્મની વ્યાખ્યા લખો. ૪. સિદ્ધાંતચક્રવર્તી આચાર્ય નૈમિચંદ્રનો સંક્ષિપ્ત પરિચય આપો.
૨૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com