________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૫૯
સમાધાનઃ- અરે ભાઈ, અહીં તો ફૂંકથી પહાડ ઊડે એ વાત પણ નથી. પહાડના અનંત પરમાણુઓમાં ઊડવાની લાયકાત હોય તો પહાડ એની મેળે ઊડે છે. પહાડને ઊડવા માટે ફૂંકની પણ જરૂર પડતી નથી. કોઈને એમ થાય કે, ‘અરે! આ તો કેવી વાત છે? શું પહાડ એની મેળે ઊડતા હશે!' પરંતુ ભાઈ, વસ્તુમાં જે કામ થાય (અર્થાત્ જે પર્યાય થાય) તે તેની પોતાની જ શક્તિથી (લાયકાતથી) થાય છે. વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. પ૨વસ્તુનો તો તેમાં અભાવ છે તો તે શું કરે ?
૩૮. ઉદાસીન નિમિત્ત અને પ્રે૨ક નિમિત્ત.
પ્રશ્ન:નિમિત્તના બે પ્રકાર છે: એક, ઉદાસીન અને બીજું પ્રેરક. તેમાંથી ઉદાસીન નિમિત્ત તો કાંઈ ન કરે પરંતુ પ્રેક નિમિત્ત તો ઉપાદાનને કાંઈક પ્રેરણા કરેને?
ઉત્ત૨:- નિમિત્તના જુદા જુદા પ્રકાર ઓળખાવવા માટે એ બે ભેદ છે, પરંતુ તેમાંથી કોઈ પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી કે નિમિત્તના કારણે ઉપાદાનમાં કંઈ વિલક્ષણતા આવતી નથી. પ્રેરક નિમિત્ત પણ પ્રેરણા કરતું નથી. બધાં નિમિત્તો ધર્માસ્તિકાયવત્ છે.
પ્રશ્ન:-પ્રેરકનિમિત્ત અને ઉદાસીનનિમિત્તની વ્યાખ્યા શી છે?
ઉત્ત૨:- ઉપાદાનની અપેક્ષાએ તો બંને પર છે, બંને અકિંચિત્કર છે તેથી બંને સરખાં છે. નિમિત્તની અપેક્ષાએ એ બે ભેદ છે. જે નિમિત્ત પોતે ઈચ્છાવાળું કે ગતિમાન હોય તેને પ્રે૨ક નિમિત્ત કહેવાય છે. અને જે નિમિત્ત પોતે સ્થિર કે ઇચ્છા વગરનું હોય તેને ઉદાસીન નિમિત્ત કહેવાય છે ઈચ્છાવાળો જીવ અને ગતિમાન અજીવ તે પ્રેરક નિમિત્ત છે તથા ઈચ્છા વગરનો જીવ અને ગતિ વગરના અજીવ તે ઉદાસીન નિમિત્ત છે. પરંતુ બંને પ્રકારનાં નિમિત્તો પ૨માં બિલકુલ કાર્ય કરતાં નથી. ઘડો થાય તેમાં કુંભાર અને ચાક તે પ્રેરક નિમિત્ત છે અને ધર્માસ્તિકાય વગેરે ઉદાસીન નિમિત્ત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com