________________
૬૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
મહાવીર ભગવાનના સમોસરણમાં ગૌતમ ગણધર આવવાથી દિવ્યધ્વનિ છૂટયો અને પહેલા છાસઠ દિવસ સુધી ન આવવાથી ધ્વનિ અટકયો હતો એ વાત સાચી નથી. વાણીના ૫૨માણુઓમાં જે સમયે વાણીરૂપે પરિણમવાની લાયકાત હતી તે સમયે જ તેઓ વાણીરૂપે પરિણમ્યા છે અને તે વખતે જ બરાબર ગણધર દેવ હોય જ. ગણધર આવ્યા માટે વાણી છૂટી એમ નથી. ગણધર જે સમયે આવ્યા છે તે સમયે જ તેમની આવવાની લાયકાત હતી. એવો જ સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે; તેથી ગૌતમ ગણધર ન આવ્યા હોત તો વાણી ન છૂટતને? એવા તર્કને અવકાશ જ નથી.
૩૯. નિમિત્ત ન હોય તો ?
6
કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો....?' એમ શંકા કરનારની સામે જ્ઞાનીઓ પુછે કે ‘હૈ ભાઈ, તું જીવ જ આ જગતમાં ન હોત તો? અથવા તો તું અજીવ હોત તો?' શંકાકાર ઉત્તર આપે છે કે, ‘હું જીવ જ છું તેથી બીજા તર્કને સ્થાન નથી.' તો જ્ઞાની કહે છે કે, જેમ તું સ્વભાવથી જ જીવ છો તેથી તેમાં બીજા તર્કને સ્થાન નથી તેમ, ‘ જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે' એવો જ ઉપાદાન નિમિત્તનો સ્વભાવ છે. તેથી તેમાં બીજા તર્કને અવકાશ નથી.
૪૦. કમળમાં ખીલવાની લાયકાત હોય પણ સૂર્ય ન ઊગે તો... ?
કમળનું ખીલવું અને સૂર્યનું ઊંગવું તે બન્નેનો સહજ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. પણ સૂર્ય ઊંગ્યો તે કા૨ણે કમળ ખીલ્યું નથી, કમળ પોતાના તે પર્યાયની લાયકાતથી ખીલ્યું છે.
પ્રશ્ન:- સૂર્ય ન ઊગે તો કમળ ન ખીલે ને ?
ઉત્તર:- કાર્ય થવાનું હોય પણ નિમિત્ત ન હોય તો? એના જેવો આ પ્રશ્ન છે. તેનું સમાધાન ઉ૫૨થી યુક્તિ પ્રમાણે સમજી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com