________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
પપ
વિકલ્પ કર્યો માટે પત્ર લખાયો એમ નથી, પત્ર આવ્યો માટે મુનીમને બેંકમાં રૂપિયા મૂકવાનો વિકલ્પ આવ્યો એમ નથી અને મુનીમને વિકલ્પ આવ્યો માટે રૂપિયા મુકાયા બેંકમાં તેમ પણ નથી. તેવી જ રીતે, રૂપિયા બેંકમાં મુકાવાના હતા માટે મુનીમને વિકલ્પ આવ્યો એમ નથી. એ પ્રમાણે દરેકમાં સમજી લેવું. જીવનો વિકલ્પ સ્વતંત્ર, કાળની અવસ્થા સ્વતંત્ર, મુનીમનો વિકલ્પ સ્વતંત્ર અને રૂપિયાની અવસ્થા સ્વતંત્ર, મુનીમનો વિકલ્પ સ્વતંત્ર અને રૂપિયાની અવસ્થા સ્વતંત્ર, મુનીમને વિકલ્પ આવ્યો ત્યારે કાગળને નિમિત્ત કહેવાણું, તથા બેંકમાં જવાની રૂપિયાની અવસ્થા થઈ ત્યારે મુનીમના વિકલ્પને તેનું નિમિત્ત કહેવાયું.
૩૨. નિમિત્તને કારણે ઉપાદાનમાં વિલક્ષણદશા થતી નથી.
પ્રશ્ન:- ઉપાદાનમાં નિમિત્તે કંઈ કરતું નથી એ વાત તો સાચી, પણ નિમિત્ત હોય ત્યારે ઉપાદાનમાં વિલક્ષણ અવસ્થા તો થવી જોઈએ ને? જેમ કે અગ્નિરૂપી નિમિત્ત આવે ત્યારે પાણીને ઉષ્ણ થવું જ જોઈએ.
ઉત્ત૨ - એ વાત ખોટી છે. જે પાણીના પર્યાયનો સ્વભાવ તે જ વખતે ઉષ્ણ થવાનો હતો. તે જ પાણી તે જ અગ્નિના સંયોગમાં આવ્યું અને પોતાની લાયકાતથી પોતાની મેળે જ ઉષ્ણ થયું છે. અગ્નિના કારણે તેને વિલક્ષણ થવું પડ્યું તેમ નથી; અને અગ્નિએ પાણીને ઉષ્ણ કર્યું નથી. ૩૩. મિથ્યાદષ્ટિ સંયોગને જુએ છે, સમ્યગ્દષ્ટિ સ્વભાવને જુએ છે.
અગ્નિથી પાણી ઉષ્ણ થયું એવી માન્યતા તે સંયોગાધીન પરાધીન દષ્ટિ છે, અને પાણી પોતાની યોગ્યતાથી જ ઉષ્ણ થયું છે એવી માન્યતા તે સ્વતંત્ર સ્વભાવદષ્ટિ છે. સંયોગાધીન દષ્ટિ તે મિથ્યાષ્ટિ છે, ને સ્વભાવદષ્ટિ તે સમ્યગ્દષ્ટિ છે.
મિથ્યાદષ્ટિ જીવ, વસ્તુના સ્વભાવની સમય સમયની યોગ્યતાથી જ દરેક કાર્ય થાય છે. તે સ્વભાવને નથી જોતો, પણ નિમિત્તના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com